Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 105
________________ માટે પ્રેરિત કરતો હોવાથી અહિંસા અને અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે. જ્યારે સામાજિક સ્તરે પણ અહિંસક-જીવન-પદ્ધતિને અપનાવવામાં ભાર મૂકવામાં આવ્યો છે. એમાં એક ઉદ્દેશ્ય પર્યાવરણના સંતુલન, સંરક્ષણ અને સંવર્ધનનો પણ છે, કારણ કે સૃષ્ટિમાં તમામ જીવનું અસ્તિત્વ સંકળાયેલું છે. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિ કહે છે : “પરસ્પરોપ ગ્રહો જીવાનામ્” જો કે સંપૂર્ણપણે શુદ્ધ અહિંસક પદ્ધતિની જીવનચર્યા કદાચ સંભવ ન થઈ શકે અથવા અતિ મુશ્કેલ હોય તો પણ અહિંસક જીવન પદ્ધતિ વગર પર્યાવરણની જાળવણી શક્ય નથી એ તો હકીકત છે. જૈન ધર્મ તો એમ કહે છે કે - “આ બધા જીવને પણ સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે. માટે એમની સુરક્ષા જરૂરી છે, તેમની સાથે એકાત્મકતા અનુભવો.' આ વાતને અહિંસાના સિદ્ધાંતની સાથે સાથે પર્યાવરણના સંદર્ભમાં જોવાનો સમય પાકી ગયો. તો જ જગતને નવો પ્રકાશ સાંપડશે. અહિંસક જીવન-પદ્ધતિને અહિંસક સમાજ-વ્યવસ્થા અને અહિંસક વલણ દ્વારા જ સહુને સમાન અસ્તિત્વ, સહ અસ્તિત્વ અને સમાન પૂર્ણ જીવનની ખાતરી આપી શકાય. “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પૂછવામાં આવે છે કે – “કંઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે સૂવું, જેથી નિષેધાત્મક ઊર્જા - પાપકર્મો સંગૃહીત ન થાય.” ત્યાં જવાબમાં જીવન-પદ્ધતિ માટે એક સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે.. “યતના, જયણા !' અર્થાત્ એવી જીવન-પદ્ધતિ કે જેના દ્વારા અન્યને પીડા ન પહોંચે. જતનાથી જ બધી પ્રવૃત્તિ કરીએ તો પર્યાવરણનો ભય ખોરવાય નહિ ને જીવનમાં પ્રલય આવે નહિ. પછી તો પાણી બચાવો”, “વૃક્ષ બચાવો', “કુદરત બચાવો'નાં સૂત્રો જીવનમાં જ વણાઈ જશે. આડેધડ કપાતાં જંગલોની જીવવૃષ્ટિ બચતાં પર્યાવરણની જાળવણી આપોઆપ થશે. જૈન ધર્મમાં સંપૂર્ણ સાધકજીવન માટે તો અહિંસા-અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે, પણ ગૃહસ્થજીવનમાં કે જ્યાં આંશિક સાધના કરી શકાય છે ત્યાં પણ જીવન-પદ્ધતિને તો અહિંસા અને અપરિગ્રહવાળી જ બતાવવામાં આવી છે. (જ્ઞાનધારા - SYS S ૯૬ SIS જન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134