Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 78
________________ વિ એ મહા.ગાંધીજી, આચાર્ય વિનોબાજી ને મનિશ્રી સંતબાલજીના સર્વધર્મસમભાવ વિશેના વિચારો | લે. ડો. ગીતા મહેતા પ્રાસ્તાવિક : હાલ ૩જી માર્ચ ૨૦૦૩ના “હિન્દુસ્તાન ટાઇમ્સ'ના “Inner Voice”ના લેખમાં “Bring Back our Mahatma'ના શીર્ષક હેઠળ શારા અશરફ લખી રહ્યા છે કે - “ગાંધીજીએ પ્રચારમાં આણેલ અને વ્યવહારમાં મૂકેલ સર્વધર્મસમભાવ આપણે પ્રસ્તાપિત કરવો જ રહ્યો. ગાંધીજી વિવિધધર્મી મિત્રોને કારણે દક્ષિણ આફ્રિકામાં જ સર્વધર્મસમભાવ વ્યવહારમાં મૂકતા હતા, પરંતુ ભારતમાં આવ્યા પછી એમણે આ વ્રતનો આશ્રમવ્રતોમાં સમાવેશ કર્યો. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય. “મંગd પ્રભાત'માં સર્વધર્મસમભાવનો સમાવેશ : ૧૯૩૦માં જ્યારે યરવડા મંદિરથી દર અઠવાડિયે બાપુ એક વ્રત પર લખીને મોકલતાં, ત્યારે સર્વધર્મસમભાવ પર તા. ૨૩-૯ અને ૩૦-૯ના બે પત્રો લખી મોકલ્યા. એ જ બતાવે છે કે સર્વધર્મ સમભાવનું કેટલું મહત્ત્વ ગાંધીજી માટે હતું. “સર્વધર્મઆદર” કે “સર્વધર્મસહિષ્ણુતા” શબ્દ ગાંધીજીને માન્ય ન થયા, પરંતુ “અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આમ, અહિંસાના આધારે ગાંધીજી સર્વધર્મસમભાવ સ્વીકારે છે. આગળ તેઓ કહે છે; “સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કાંઈ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચ ન થાય. તેઓ લખે છે : “સમભાવ કેળવવામાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્ત્વિક અને નિર્મળ બને છે.”૩ ૧. ગાંધીજી મંગળ પ્રભાત; અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર, ૧૯૩૦, પૃ. ૨૮ ૨. ઉપરિવતું. ૩. ઉપરિવતુ પૃ. ૨૯. (જ્ઞાનધારા-૫ ૬ ૬૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-)

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134