Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 99
________________ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જેન ધર્મનું યોગદાન [ ડો. ધનવંતીબહેન મોદી જૈન ધર્મના આ સૂત્ર “જીવો અને જીવવા દો'ના મૂલ્યવાન કોહિનૂરનો પ્રકાશ પામવા ખોલો પેલી દ્વાદશાંગીની ગણિપિટ્ટકની પેટી ! આગમો વાંચો, વિચારો-આચરો - બધી જ સમસ્યાઓનો ઉકેલ ! અરે માત્ર પર્યાવરણ જ નહિ, વિશ્વશાંતિ, આતંકવાદ, આર્થિક મંદી જેવા આજના બધા જ સળગતા પ્રશ્નોનો ઉકેલ મળી જશે. જૈન ધર્મ એટલે તોફાની સમુદ્રમાં અટવાયેલા જીવો માટે દીવાદાંડી ! આગમનો એક અર્થ જે ચારેબાજુનું જોવું અને પર્યાવરણનો અર્થ છે ચારે તરફનું આવરણ, પૃથ્વીને વીંટળાયેલાં ત્રણ આવરણ - જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને તેને સહારે જીવતી સજીવ-સૃષ્ટિ ! માણસે સમજવાનું એ છે કે આ ધરતી માણસની નથી, પણ માણસ આ ધરતીનો છે. પર્યાવરણની બધી જ બાબતો પરસ્પર સંકળાયેલી છે. આ પર્યાવરણનું જાળું માણસે નથી વધ્યું, એ તો માત્ર એની સેરનો એક તાર છે. જીવસૃષ્ટિમાં રહેલું પરસ્પરાવલંબન હવે ઈકોલોજિકલ ઑડિટ અને બાયોડાઈવર્સિટીની રક્ષા માટે વૈજ્ઞાનીઓને હવે જાળવવા જેવું, જતન કરવા જેવું જણાયું છે. જીવ માત્રના જીવવાનો હકનો સ્વીકાર એ જેન-દર્શનની મૌલિકતા છે. આવા સ્વીકારની જીવમાત્ર પ્રત્યે આદર Reverence for lifeની વાત નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્વાઇઝર વીસમી સદીમાં કરે છે, જ્યારે આવા સ્વીકારને પરમધર્મનો દરજ્જો જૈનદર્શને ક્યારનો ય આપ્યો છે. માનવેતર જીવોની હિંસાનો ત્યાગ એ જૈન ધર્મ તરફથી માનવજાતને મળેલી સૌથી મોટી ધરોહર છે. પણ. માનવેતર જીવો એટલે કયા જીવો ? ધર્મ અને યજ્ઞને નામે થતાં પ્રાણીહિંસા રોકનાર તથાગત બુદ્ધ “મિલિન્દ પણે'માં સ્થૂલહિંસા રોકવાની જ વાત કરી છે. પાણીમાં જીવ હોય એમ તેઓ માનતા જ ન હતા. આગમમાં પ્રરૂપેલી છકાય જીવોની સૂક્ષ્મહિંસાનું જ્ઞાન તો ત્યારના સંન્યાસી શુકદેવ પરિવ્રાજક, આદ્રક મુનિ સાથે ચર્ચા કરનાર અન્ય મતાવલંબીઓ જેવા કેટલાયને હતું જ નહિ. (જ્ઞાનધારા - SEE ૯૦ S SS ન સાહિત્ય જ્ઞાનસત્ર-૫)

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134