Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આપે છે. આ વિચારધારાથી મધ્યસ્થતા, તટસ્થતા, સમતોલતા અને સર્વતોમુખીપણું આવી શકે. સૌની વાત-વિચારમાં સત્યના અંશની પ્રતીતિ થાય, સત્યને સમજીએ તો વાદ-વિવાદ, સંઘર્ષ ટળે. પોતાની જ વાતને વળગી રહેવું કે વિચારને ઠસાવવા આગ્રહ-દૂરાગ્રહ કે હઠાગ્રહ રાખીએ તો મડાગાંઠ વધે છે. જૈન ધર્મે અન્યના મત-પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત કરી છે. આ ઉદારતા જગતને સમન્વય ને સુમેળતાના રસ્તે લઈ જઈ શકશે. વિશ્વશાંતિની કડી અનેકાન્ત વિચારધારા છે, વિશ્વશાંતિનો સંદેશ અનેકાન્ત દષ્ટિ કેળવવાથી જ પ્રસરી શકે તેમ છે. અનેકાન્તા વિના કદાચ હિંસાનો દોર-રવૈયો ચાલુ રહેશે.
અંતમાં, તારવણી રૂપે આવું કહી શકાય કે - “પૂછો - પિછાણો - પૃથક્કરણ કરો.
સમત્તે શીખો અને સ્વીકારો તો જ તમે સાંપ્રત યુગની સમસ્યાને ઉકેલવામાં સહભાગી થઈ શકશો.
અહિંસા આચાર સાથે અનુભવમાં મૂકીશું અને અનેકાન્તનો વિચાર અમલમાં મૂકીશું તો જ જગતનું કલ્યાણ છે.”
લેખિકા :
દેશ-વિદેશની અનેક સંસ્થાઓમાં પ્રવચન રેડિયો - ટી.વી. વર્તાલાપ - વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે.
લેખન - સંશોધન - કૌટુંબિક સલાહકાર પણ છે. "JAINA”માં પણ પેપરો રજૂ કર્યા છે.
(જ્ઞાનધારા -૫
૪૦
ES જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫]