________________
શ્રી દેવ–દર્શન-ફૂલ-વર્ણન.
S
“यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थे फलम्, षष्ठं चोत्थित उद्यतोऽष्टममथो, गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ, मासोपवासं फलम् ॥१॥"
શ્રદ્ધાળુ આત્મા~
શ્રી જિનન્દિરે જવાનું ચિન્તવન કરતાં એક ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરે જવાને માટે ઉભેા થયે એક છઠ્ઠુ તપના ફળને, શ્રી જિનમન્દિરે જવાની પ્રવૃત્તિ કરતે એક અઠ્ઠમ તપના ફળને, શ્રી જિનન્દિરની નજદિકમાં આવતાં ચાર ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ ઉપવાસના ફળને, શ્રી જિનન્દિરના મધ્યભાગે પહોંચતાં પંદર ઉપવાસના ફળને,
અને શ્રી જિનમન્દિરમાં પ્રભુદર્શન કરતાં એક માસેાપવાસના ફળને —પ્રાપ્ત કરે છે.
-
ભગવાનના યથાર્થ ગુણાને વિષે બહુમાનયુક્ત બનેલા આત્માને એકાગ્ર ચિત્તે શ્રી જિનદર્શન કરતાં ઉપર જણાવેલ ફળ મળે છે, એ તા એક વ્યવહારિક વચન છે. નિશ્ચયથી તા જેમ જેમ ભાવની વિશેષતા ભળતી જાય છે, તેમ તેમ ફળની વિશેષતાનું કાંઈ માપ જ રહેતું નથી, ભાવપૂર્ણ ભક્તને તે ચાલત કેવલજ્ઞાન અને કેવદર્શન પણ સુલભ બને છે.