Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ - નિશ્ચયનયની અપેક્ષાએ દેવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરીને હવે વ્યવહારનયની અપેક્ષાએ તેની વિચારણા કરાય છે अन्वयव्यतिरेकाभ्यां, व्यवहारस्तु मन्यते ।। द्वयोः सर्वत्र हेतुत्वं, गौणमुख्यत्वशालिनोः ॥१७-५॥ “અન્વય અને વ્યતિરેકના કારણે દૈવ અને પુરુષકારને ગૌણ અથવા મુખ્યભાવે કાર્યમાત્રની પ્રત્યે કારણ માનવાનું કામ વ્યવહારનય કરે છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જ્યાં જ્યાં કાર્ય છે ત્યાં ત્યાં તેની પૂર્વેક્ષણમાં દેવ અને પુરુષકાર હોય છે : આ અન્વય(કાર્યકારણનું નિયત સાહચર્ય)થી અને જ્યાં જ્યાં દૈવ અને પુરુષકારનો અભાવ છે ત્યાં ત્યાં કાર્યમાત્રનો અભાવ છે. આ વ્યતિરેકકારણાભાવ-કાર્યાભાવનું નિયત સાહચર્ય)થી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારને ગૌણમુખ્યભાવે કારણ માનવામાં આવે છે. અર્થાત્ કોઈ કાર્યની પ્રત્યે દૈવને ગૌણ કારણ અને પુરુષકારને મુખ્ય કારણ માનવામાં આવે છે. તેમ જ કોઈ કાર્યની પ્રત્યે દૈવને મુખ્ય કારણ અને પુરુષકારને ગૌણ કારણ માનવામાં આવે છે. સામાન્યથી કોઈ પણ કાર્ય દેવ અને પુરુષકાર વિના થતું નથી. તેથી સામાન્યથી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારની કારણતા મનાય છે. જે(નિશ્ચયનયને અનુસરી) કુર્ઘદ્રુપત્વે જ કારણતાને ઈચ્છે છે અર્થા જે કાર્ય કરે છે તે જ કારણ છે; તેનાથી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58