Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ તે જ્ઞાન તે કાર્યમાં દૈવકૃતત્વના વ્યવહારનું પ્રયોજક બને છે. તેમ જ યત્નકૃતત્વના વ્યવહારનું પ્રયોજક ઉત્કટયત્નકૃતત્વનું જ્ઞાન અથવા અનુક્ટદેવકૃતત્વનું જ્ઞાન પ્રયોજક બને છે. યદ્યપિ સૈવવૃત્તમિદં, ન પુરુષારતમ્... ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ હોવાથી એક કાર્યમાં ઉભયકૃતત્વ નહીં માનવું જોઈએ; પરંતુ એ વ્યવહાર ઉત્કટપુરુષકારકૃતત્વાભાવને સમજાવે છે. સર્વથા પુરુષકારકૃતત્વાભાવવિષયક એ વ્યવહાર નથી. તેથી દેવકૃતકાર્યમાં અનુત્કટપુરુષાર્થકૃતત્વ માનવામાં કોઈ દોષ નથી. ૧૭-શા રૈવતગિ, પુ રસ્કૃતમ... ઈત્યાદિ વ્યવહાર, વિશેષગ્રાહી વ્યવહારને આશ્રયીને કઈ રીતે સદ્ગત છે તે જણાવીને હવે સામાન્ય(વિશેષની વિવક્ષા વિના)ગ્રાહી વ્યવહારને આશ્રયીને તે અંગે જણાવાય છે अभिमानवशाद् वाऽयं, भ्रमो विध्यादिगोचरः । निविष्टबुद्धिरेकत्र, नान्यद्विषयमिच्छति ॥१७-८॥ “અથવા આ દૈવકૃત છે અને પુરુષકારકૃત નથી'-આ વિધિનિષેધવિષયક વ્યવહાર અહંકારને લઈને થયો હોવાથી ભ્રમસ્વરૂપ છે. કારણ કે એક વિષયમાં બુદ્ધિ નિવિષ્ટ હોય તો ત્યારે તે બીજા વિષયને ઈચ્છતી નથી. અર્થા ગ્રહણ કરતી નથી.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, “આ દેવકૃત છે અને પુરુષકારકૃત

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58