________________
તે જ્ઞાન તે કાર્યમાં દૈવકૃતત્વના વ્યવહારનું પ્રયોજક બને છે. તેમ જ યત્નકૃતત્વના વ્યવહારનું પ્રયોજક ઉત્કટયત્નકૃતત્વનું જ્ઞાન અથવા અનુક્ટદેવકૃતત્વનું જ્ઞાન પ્રયોજક બને છે.
યદ્યપિ સૈવવૃત્તમિદં, ન પુરુષારતમ્... ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ હોવાથી એક કાર્યમાં ઉભયકૃતત્વ નહીં માનવું જોઈએ; પરંતુ એ વ્યવહાર ઉત્કટપુરુષકારકૃતત્વાભાવને સમજાવે છે. સર્વથા પુરુષકારકૃતત્વાભાવવિષયક એ વ્યવહાર નથી. તેથી દેવકૃતકાર્યમાં અનુત્કટપુરુષાર્થકૃતત્વ માનવામાં કોઈ દોષ નથી. ૧૭-શા
રૈવતગિ, પુ રસ્કૃતમ... ઈત્યાદિ વ્યવહાર, વિશેષગ્રાહી વ્યવહારને આશ્રયીને કઈ રીતે સદ્ગત છે તે જણાવીને હવે સામાન્ય(વિશેષની વિવક્ષા વિના)ગ્રાહી વ્યવહારને આશ્રયીને તે અંગે જણાવાય છે
अभिमानवशाद् वाऽयं, भ्रमो विध्यादिगोचरः । निविष्टबुद्धिरेकत्र, नान्यद्विषयमिच्छति ॥१७-८॥
“અથવા આ દૈવકૃત છે અને પુરુષકારકૃત નથી'-આ વિધિનિષેધવિષયક વ્યવહાર અહંકારને લઈને થયો હોવાથી ભ્રમસ્વરૂપ છે. કારણ કે એક વિષયમાં બુદ્ધિ નિવિષ્ટ હોય તો ત્યારે તે બીજા વિષયને ઈચ્છતી નથી. અર્થા ગ્રહણ કરતી નથી.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે, “આ દેવકૃત છે અને પુરુષકારકૃત