Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ લિો જણાવાય છે मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपि चास्य हि ॥१७-३१॥ “ચારિત્રવત આત્માનાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાશની દેશનામાં રતિ, ગુણરાગ અને શક્યમાં પ્રવૃત્તિ : આ લિડ્યોલક્ષણો છે.”-આ પ્રમાણે એક્ઝીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યત્વની પ્રાપ્તિથી જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિનો હાસ થાય તે પછી જ સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રવંત આત્માનાં ઉપર જણાવ્યા મુજબ માર્ગાનુસારિતા વગેરે લક્ષણો આ શ્લોથ્થી જણાવ્યાં છે. એમાં સઍધન્યાયે, અજ્ઞાનથી પણ મોક્ષમાર્ગને અનુસરવાના સ્વભાવને માર્ગાનુસારિતા કહેવાય છે. જેને અશાતાવેદનીયકર્મનો ઉદય નથી એવો મહાટવીમાં પડેલો અંધ માણસ જેમ ખાડા વગેરેમાં પડ્યા વિના ત્યાં સારી રીતે ચાલે છે, તેમ આ ભવ-અટવીમાં પડેલો આત્મા પાપાદિનો ત્યાગ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપ ચક્ષુથી વિહીન હોવા છતાં સાતવેદનીયકર્મના ઉદયથી સંયુક્ત બની મોક્ષમાર્ગે સારી રીતે ચાલે છે. જે આ રીતે માર્ગને અનુસરતા નથી તેમનું ચારિત્ર નામથી જ છે, વાસ્તવિક નથી. કોઈ વાર માર્ગાનુસારી એવા પણ આત્માને ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તે તેમના નિકાચિત કોટિના વિચિત્ર ચારિત્રમોહનીયર્મના ઉદયના કારણે છે.”આ પ્રમાણે યોગબિંદુ' (શ્લો. નં. ૩૫૪-૩૫૫-૩૫૬)માં

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58