________________
પરમાનંદસ્વરૂપ મોક્ષની સાથે સઙ્ગત બને છે... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘યોગશતક’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ અપુનર્બન્ધક અવસ્થાને પામેલા જીવો, સમ્યગ્દષ્ટિ આત્માઓ અને ચારિત્રવંત આત્માઓ યોગના અધિકારી છે. એમાં ચારિત્રવંત આત્માઓને નિયમે કરી હોય છે અને બીજાઓને બીજમાત્ર જેટલો યોગ હોય છે.
તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માએ પ્રરૂપેલા જુદા જુદા પ્રકારના દેશવિરતિ કે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રને વિશે જ યોગની પ્રવૃત્તિ થાય છે. મોક્ષની સાથે યોગ કરાવનાર ચારિત્રસંપન્ન આત્માના તે તે આત્મવ્યાપાર સ્વરૂપ યોગ છે. તે યોગથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ચારિત્રને વિશે થનારી યોગની પ્રવૃત્તિ પરમાનંદથી સદ્ગત છે.
શ્રી સર્વજ્ઞપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ચારિત્રધર્મની આરાધનાને છોડીને બીજો કોઈ જ મોક્ષમાર્ગ નથી. એની આરાધનાના કાળ દરમ્યાન તે તે આરાધક આત્માઓને આનંદનો જે અનુભવ થાય છે, તે વર્ણનાતીત છે. એક અપેક્ષાએ કહીએ તો તે મોક્ષના સુખનો જ સ્વાદ છે. નિરીહતાના પરમાનંદના અનુભવનો અહીં પ્રારંભ છે. ‘કશું જ જોઈતું નથી. આ અધ્યવસાય નિરીહતાનો
{
પરમાનંદના સૌધનભૂત ચારિત્રની-સાધનામાં જ યોગની સાધના શક્ય છે. સાધને સાધ્ય સિદ્ધપદની પ્રામિનું એ એકમાત્ર સાધન છે. તેની સાધના પરમાનંદથી સદ્ગત છે :
૪૯