Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ સ્થળે પ્રયત્નની અલ્પતા જોવા મળે ત્યાં પૂર્વભવસંબંધી પ્રયત્નની અધિકતા માનવાનું આવશ્યક છે. કારણ કે ઉત્કૃષ્ટ પ્રયત્ન વિના ઉત્કૃષ્ટ દેવની ઉત્પત્તિ શક્ય નથી. આ રીતે યોગની સિદ્ધિ વગેરે સ્વરૂપ ફળના ઉત્કર્ષની પ્રત્યે પ્રયોજક એવા ઉત્કર્ષના આશ્રય તરીકે દેવ અને પુરુષકાર બંન્ને તે તે ફળને ઉત્પન્ન કરવામાં પરસ્પર અપેક્ષાવાળા છે. યોગબિંદુમાં આ વાતને જણાવતાં ફરમાવાયું છે કે“અત્યંત અલ્પ એવા પણ વ્યાપાર(પ્રયત્નોથી જે કર્મ ફળને આપનારું બને છે અને મોટા એવા પણ પુરુષાર્થથી જે કર્મ નિષ્ફળ જાય છે તે દૈવ નામનું શુભાશુભ કર્મ ચિત્ર (અનેક પ્રકારનું) છે. આવી જ રીતે કર્મની અપેક્ષાએ વ્યાપાર-બહુલ (ઉત્કટ) પુરુષકાર પણ ચોક્કસપણે જન્માન્તરમાં પણ ફળનું કારણ બને છે-તે સમજી લેવું જોઈએ. આ પ્રમાણે દૈવ અને પુરુષકાર ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ છે-એમ વિદ્વાનોએ કહ્યું છે.”. (જુઓ યોગબિંદુમાં ગ્લો.નં. ૩૨૨, ૩૨૩, ૩૨૪). I૧૭-૧૧ાા. આ વિષયમાં સામ્યોની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે कर्मैव ब्रुवते केचित्, कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः, कर्म तत्पौर्वदेहिकम् ॥१७-१२॥ કેટલાક લોકો(સાખ્યો) કહે છે કે કાલવિશેષે કર્મ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58