________________
ત્યારે તે અનુષ્ઠાનોનો નાશ થયેલો હોય છે. આ રીતે ફળની પ્રાપ્તિ થાય એ પહેલાં જ જે અનુષ્ઠાનો નષ્ટ થઈ જાય છે, એવાં તે ક્યિાકાશમાત્રથી ઉપરત થયેલાં અનુષ્ઠાનોને ક્ષણિક કર્મ કહેવાય છે. જેનાથી જે કાર્ય થવાનું છે, તે કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે તે કારણનું અસ્તિત્વ હોવું જોઈએ. ક્ષણિક કર્મોનું એવું સાક્ષાદ્ અસ્તિત્વ બાધિત હોવાથી સ્વજન્ય અદર દ્વારા તેનું અસ્તિત્વ ફળની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વેક્ષણે માનવામાં આવે છે. અન્યથા અદષ્ટની કલ્પના કરવામાં ન આવે તો કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ માનવી પડશે. આથી સમજી શકાશે કે અદષ્ટ(ધર્માધર્મ)ના અભાવે દેવપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનાત્મક ક્ષણિક કર્મ, (ર્યા પછી તુરત જ નષ્ટ થનાર) ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતું નથી.
કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણને ભાવસ્વરૂપ વ્યાપાર દ્વારા જ કારણ માનવામાં આવે છે. અર્થાત્ તેવા કારણમાં ભાવવ્યાપારકત્વેન વ્યાપકતા (કાર્યનિષ્ઠવ્યાપ્યતાનિરૂપિતવ્યાપકતા) માનવામાં આવે છે. યદ્યપિ કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઘણા કાળથી નાશ પામેલા કારણના વ્યાપાર તરીકે તેના ધ્વસને જ માની લેવાથી તાદશ ધ્વસ દ્વારા પણ કાલાંતરે સ્વર્ગાદિ ફળની ઉત્પત્તિ શક્ય છે. તેથી તે માટે ભાવસ્વરૂપ અદષ્ટની કલ્પના કરવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે તો સ્મૃતિની પ્રત્યે સંસ્કાર દ્વારા અનુભવને કારણ માનવાની જરૂર નહીં રહે. કારણ કે