Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ ધર્મ-અર્થ વગેરે સંબંધી ચાચ્ચ કોટિની પ્રવૃત્તિની મુખ્યપણે પ્રવૃત્તિ થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયા પછી પ્રયત્ન બલવત્તર બને છે. ચરમાવર્તકાળમાં અપુનર્બન્ધકાદિ દશાની પ્રાપ્તિ થવાથી બળવાન એવા પુરુષકારથી, દુર્બળ એવા મિથ્યાત્વમોહનીયકર્માદિનો બાધ થાય છે, જેથી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ પણ થાય છે. એથી પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના અચિત્ય સામર્થ્યથી પ્રયત્ન બલવત્તર બને છે, જેથી ધર્માદિના વિષયમાં પરસ્પર બાધ ન થાય એ રીતે નાચ્ય પ્રવૃત્તિ થાય છે એ સ્પષ્ટ છે. ૧૭-૨છા જો આ રીતે ગ્રંથિભેદ પછી પોતાના(આત્માના) પરિણામના કારણે જ ઉચિત પ્રવૃત્તિ સિદ્ધ થતી હોય તો તેવા આત્માઓની પ્રત્યે ઉપદેશ આપવાનું નિરર્થક છે : આવી શક્કાનું સમાધાન કરાય છેउपदेशस्त्वनेकान्तो, हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य, पततो वा स्थितस्य न ॥१७-२८॥ - “અહીં ગ્રંથિભેદ જેણે કરી લીધો છે એવાઓની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ, એકાંતે હેતુ નથી. ગુણને પ્રાપ્ત કરવાનો આરંભ કરનારાને અથવા ગુણસ્થાનકેથી પડતા એવા આત્માઓ માટે ઉપદેશ છે. પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં સ્થિત આત્માઓ માટે ઉપદેશ સાર્થક નથી.”-આ પ્રમાણે ૪૨.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58