________________
બનતો હોય તો શાસ્ત્રોમાં શા માટે તેનું વિસ્તારથી વર્ણન આ શંકાનું સમાધાન કરાય છે. અર્થાર્ ઉપદેશનું
કરાય છે ? ફળ વર્ણવાય છે.
आधिक्यस्थैर्यसिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् । અસૌ વજ્રતાપ્યસ્વ, તોપનતિક્રિયા ॥o૭-૨શા
,
“ચક્રને ફેરવનાર દંડની જેમ અધિકતાની અને સ્થિરતાની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી છે. તેની વ્યગ્રતા પણ તેનાથી જન્ય એવા પરિણામ વડે કાર્યની ઉત્પત્તિ પૂર્વે રહેવા સ્વરૂપ છે.'' આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે ઉચિત પ્રવૃત્તિની અધિકતા માટે ઉપદેશ ઉપયોગી બને છે. સમાનજાતીય પરિણામની પ્રચુરતા સ્વરૂપ અધિકતા છે. પૂર્વે જે પરિણામને લઈને પ્રવૃત્તિ ચાલતી હતી, તે પરિણામમાંની જે પ્રકૃષ્ટતા છે, તે સ્વરૂપ અહીં પ્રવૃત્તિની અધિકતા છે. અને જે પરિણામને લઈને ઉચિત પ્રવૃત્તિ ચાલતી હતી; તે પરિણામનું પતન ન થાય એ રીતે પ્રવર્તાવા સ્વરૂપ સ્વૈર્ય છે. આધિક્ય અને થૈર્ય : એ બંન્નેની સિદ્ધિ માટે ઉપદેશ ઉપયોગી બને છે.
જેમ કુંભારના ફરતા ચક્રના દૃઢ ભ્રમણ માટે તેમ જ ફરતું અટકી જતાં ચક્રને ફરતું કરવા માટે જેમ દંડ ઉપયોગી છે પરંતુ યોગ્ય રીતે ફરતા ચક્રના માટે તે ઉપયોગી નથી તે જ રીતે ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનથી પતન ન થાય
એ માટે ઉપદેશ પણ ઉપયોગી બને છે. જેમના પરિણામ સ્થિર છે, તેમના માટે ઉપદેશ ઉપયોગી નથી. એ પ્રમાણે ઉપદેશ
૪૪