________________
પ્રસિદ્ધ છે. ફળના અભાવમાં પણ પ્રયત્નથી બાધ્ય એવા કર્મમાં યોગ્યતાનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
એ પ્રમાણે “યોગબિંદુમાં જણાવ્યું છે કે-અહીં કાષ્ઠ કે પાષાણાદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં નિયમે કરી પ્રતિમા થાય છે-એવું નથી. છતાં પ્રતિમા ન થવાના કારણે કાષ્ઠાદિમાં અયોગ્યતા જ છે-એમ મનાતું નથી. કારણ કે પ્રતિમા માટે અયોગ્ય એવા જલ વગેરેના લક્ષણ(સ્વરૂપ)નો કાષ્ઠાદિમાં અભાવ હોવાથી લોકમાં એમ મનાય છે. તેથી પ્રતિમાની ઉત્પત્તિથી કાષ્ઠાદિમાં રહેલી યોગ્યતાનો જેમ બાધ થાય છે, તેમ પુરુષકાર કર્મની યોગ્યતાનો બાધક બને છે. જેમ કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર ત્યાં સુધી જ થાય છે કે જ્યાં સુધી પ્રતિમાનું કાર્ય કરાતું હોય છે. કાર્ય ઉત્પન્ન થયા પછી તો સર્વત્ર કારણ, અકારણભૂત તરીકે વ્યવહારનો વિષય બને છે. આવી જ રીતે જ્યાં સુધી પુરુષકારથી, ભિન્ન પરિણતિ સ્વરૂપ વિડ્યિાને કર્મ પ્રાપ્ત કરાતું નથી, ત્યાં સુધી તે કર્મ અબાધિતસ્વરૂપે જ રહે છે. પરંતુ પુરુષકાર પ્રવૃત્ત થયે છતે કર્મ અને પુરુષકારનો બાધ્યબાધક ભાવ થાય છે... ઈત્યાદિ વિચારવું. I૧૭-૨૨ા
કાષ્ઠ વગેરેમાં રહેલી પ્રતિમાની યોગ્યતા જ પ્રતિમાને સ્વરૂપ કાર્યને ખેંચી લાવે છે. પ્રતિમા, તેની યોગ્યતાનો બાધ કરે છે એમ માનવાની જરૂર નથી. તેથી કર્મ જ પુરુષાર્થનું આક્ષેપક છે એમ માનવું જોઈએ, કર્મના બાધક