________________
સરખું હોવા છતાં આંતરિક પરિણામવિશેષની તરતમતાએ ફળમાં જે વિશેષતા વર્તાય છે તે કોઈ પણ રીતે સઙ્ગત નહીં થાય. પ્રયત્નના સામ્યથી ફળનું પણ સામ્ય જ હોવું જોઈએ. ફળનો પ્રકર્ષાપકર્ષ સ્વરૂપ વિશેષ, શાસ્ત્રથી અને લોકવ્યવહારથી સફ્ળત છે. તેવા પ્રકારના પુરુષાર્થથી રહિત એવા માત્ર કર્મને જ કારણ માનવામાં આવે તો તે તે ફળમાં વિશેષતા (પ્રકર્ષાપકર્ષસ્વરૂપ વિચિત્રતા) સફ્ળત નહીં થાય. કારણ કે ફળના કારણભૂત કર્મને પુરુષાર્થની અપેક્ષા ન હોય તો ફળની અંદર સમાનતા જ આવશે. તેથી કર્મ અને પુરુષકાર બંન્નેને પરસ્પર બીજાની અપેક્ષા છે એમ માનવું જોઈએ... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૧૭-૨૪૫
દાનાદિ ધર્મ કરતી વખતે જે રીતે ભાવની તરતમતા હોય છે અને તેને લઈને ફળની તરતમતા હોય છે : તે જણાવાય છે
शुभात् ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो ह्यदः ॥१७- २५ ।।
“શુભ કર્મથી જ ભિન્ન ભિન્ન પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ ફળવિશેષ, તે ભાવની જેમાં અપેક્ષા છે એવી ઉત્પત્તિના સ્વભાવવાળો છે. આ રીતે ચાલુ પ્રકરણમાં શું સિદ્ધ થયું ? તો આ ભાવથી જ શુભ કર્મ સિદ્ધ છે.’આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ
૩૮