Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ તે જ બાધ છે. કાર્યની ઉત્પત્તિ થવાથી તેની પૂર્વેના અનાદિકાલીન પ્રાગભાવનો નાશ થાય : એ સમજી શકાય છે. આવી જ રીતે પ્રયત્નથી, વિવક્ષિત ફળને ઉત્પન્ન કરનારી કર્મમાં રહેલી શક્તિનો જે ભંગ થાય છે, તે ભંગસ્વરૂપ જ કર્મની વિક્રિયાને કર્મનો બાધ કહેવાય છે. તેથી આ બાધ્યબાધકતા(બાધ્યબાધકભાવ) છે. દૃષ્ટાંત અને દાર્થાન્ત : બંન્નેમાં આ રીતે બાધ શબ્દના સામ્યના કારણે ઐક્ય છે, બીજી રીતે નહિ. તેથી, “પ્રતિમાના કારણે અથવા તેના કારણભૂત પ્રયત્નના કારણે પ્રતિમાની યોગ્યતાનો બાધ થયે છતે જેમ પ્રતિમાની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મની યોગ્યતાનો બાધ થયે છતે કર્મથી જન્ય એવા ફળની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.’’આ પ્રમાણેના કથનનું નિરાકરણ થાય છે. ઉપાદાન(સમવાયિ)કારણ જ પોતાના નાશથી અભિન્ન એવી ફ્લોત્પત્તિની પ્રત્યે નિયત(વ્યાપક) છે. નિમિત્તકારણ માટે એવો નિયમ નથી. સુખદુઃખાદિની પ્રત્યે કર્મની યોગ્યતા તો નિમિત્તકારણ છે. તેથી જેમ દંડના નાશથી ઘટની ઉત્પત્તિનો સંભવ નથી, તેમ કર્મની યોગ્યતાના નાશથી તજજન્ય લોત્પત્તિનો સંભવ નથી. કાષ્ઠ પ્રતિમાનું ઉપાદાનકારણ છે. આ રીતે દષ્ટાંત અને દાર્થાંતમાં વિશેષ છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ।।૧૭-૨૧ ઉપર જણાવ્યા મુજબ યત્નથી કર્મનો બાધ થયે છતે ૩૩

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58