Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ કર્મથી અનિયતપણે જે કાર્ય ચોક્કસ થવાનું છે એવા કાર્યની પ્રત્યે પ્રયત્ન કર્મને બાધ્ય કરે છે. જે કાર્ય ચોક્કસપણે (નિયત) કર્મથી થવાનું છે, તે કાર્યને આશ્રયીને પ્રયત્નથી કર્મનો બાધ થતો નથી. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે-‘‘સુખ-દુ:ખાદિ ફળની પ્રત્યે, અનિયત-સ્વભાવવાળું ભિન્ન ભિન્ન પ્રકારવાળું જે કર્મ છે, તે અહીં પ્રયત્નથી બાધ્ય બને છે. જે કાષ્ઠાદિની પ્રતિમાની યોગ્યતા જેવું છે.' 1190-2011 અહીં દૈવ અને પુરુષકાર : બંન્નેની પરસ્પર બાધ્યબાધકતાના વિચારમાં, દૃષ્ટાંત(પ્રતિમાની યોગ્યતા) અને દાર્યાન્તિક(કર્મ-દૈવ)ની બાધકતાનું સામ્ય શબ્દના સામ્યથી જ છે અથવા વિકાર અને નાશ : ઉભયસાધારણ રૂપાંતર સ્વરૂપ પરિણતિને લઈને જ છે, એ અભિપ્રાયથી જણાવાય છે प्रतिमायोग्यतानाशः, प्रतिमोत्पत्तितो भवेत् । कर्मणो विक्रिया यत्नाद्, बाध्यबाधकतेत्यसौ ॥१७- २१॥ “પ્રતિમાની ઉત્પત્તિના કારણે પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય છે અને પ્રયત્નના કારણે કર્મની વિક્રિયા થાય છે. આ બાધ્ય-બાધકતા છે.’’-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પ્રતિમાની ઉત્પત્તિ થવાથી કાષ્ઠમાં રહેલી પ્રતિમાની યોગ્યતાનો જે નાશ થાય છે ૩૨

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58