Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ અનુભવને તેના ધ્વસ દ્વારા જ સ્મૃતિની પ્રત્યે કારણ માનવાથી પણ સ્મૃતિની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી સંસ્કારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ વાત ન્યાયકુસુમાગ્રલિમાં ઉદયનાચાર્યું પણ કરી છે કે “ર્મના અતિશય વિના (દ્વાર વિના) લાંબા કાળથી ધ્વસ્ત થયેલાં કારણ, ફળની ઉત્પત્તિમાં સમર્થ નથી. ઉપર જણાવ્યા મુજબ ચિરધ્વસ્ત કારણોને ફળની ઉત્પત્તિની પ્રત્યે સ્વધ્વંસ દ્વારા કારણ માનવામાં આવે તો અનુભવને પણ તેના ધ્વસ દ્વારા સ્મૃતિની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવવાથી જે સંસ્કારના ઉચ્છેદનો પ્રસટ્ટ આવે છે તે ઈષ્ટ જ છે એમ કહેવામાં આવે તો અદષ્ટને ન માનવામાં દૂષણાંતર જણાવાય છે, વૈવસ્થ ર...ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે જે અદષ્ટાત્મક કર્મ (દેવપ્રધાન) માનવામાં ન આવે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નિરર્થક બને છે. અધર્મનો નાશ કરવાથી જ પ્રાયશ્ચિત્તની સફળતા છે. “હિંસાદિના આચરણથી તેના ધ્વંસ દ્વારા પ્રાપ્ત થનારાં નરકાદિ દુઃખોનો નાશ પ્રાયશ્ચિત્તથી થાય છે.'-આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયભૂત હિંસાદિ કર્મજન્ય નરકાદિ દુઃખો પ્રાયશ્ચિત્તના વિધાન વખતે પ્રસિદ્ધ ન હોવાથી તેનો નાશ પ્રાયશ્ચિત્તથી શક્ય નથી. પ્રાયશ્ચિત્તથી તાદશ દુઃખોનો પ્રાગભાવ થાય છે' –એ કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે તે દુઃખાદિનો પ્રાગભાવ સાધ્ય નથી, અનાદિનો છે. 'પ્રાયશ્ચિત્તથી તે નરકાદિ દુ:ખોના પ્રાગભાવનો નાશ થતો નથી, પરંતુ તે જળવાઈ રહે છે. તે ૨ ૬

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58