________________
આ ભવમાં તેમને વાણિજ્ય-રાજ્યસેવાદિ કર્મ કરવું પડે છે, ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. યો.બિંદું-૩૨૫। આ કર્મ; જીવનો તેવા પ્રકારનો વ્યાપાર ન હોય તો જે કારણે પોતાના કાર્યને કરનારું તે બનતું નથી, તેથી તે બંન્નેનું પૂર્વે જણાવ્યા મુજબનું પરસ્પર અપેક્ષાવાળું સ્વરૂપ વાસ્તવિક છે. II૩૨૬॥
“જેમ દંડથી જન્ય ચક્રભ્રમણ દ્વારા ઘટ થતો હોવાથી ત્યાં દંડ મુખ્ય કારણ અને ચક્રભ્રમણ ગૌણ કારણ મનાય છે તેમ પૌર્વદૈહિક કર્મ આ ભવના યત્ન દ્વારા ફળની પ્રત્યે કારણ બનતું હોવાથી દૈવ મુખ્ય કારણ છે અને યત્ન દ્વાર-વ્યાપાર હોવાથી ગૌણ કારણ છે.’’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે તો દૈવ પણ; તેના પૂર્વભવના શરીરમાં ઉદ્ભવેલા યત્નનો વ્યાપાર હોવાથી દૈવને પણ ગૌણ કારણ માનવું પડશે. જેમ દૈવ વિના યત્ન થતો નથી તેમ યત્ન વિના પણ દૈવનો સંભવ ક્યાં છે ? તેથી ફળની પ્રત્યે દૈવ અને પુરુષકાર ઉભય સમાન રીતે કારણ છે. 1190-9311
કેવળ દૈવને ફળની પ્રત્યે કારણ માનવામાં દૂષણાંતર જણાવાય છે
9
अपेक्ष्ये कालभेदे च हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य, कल्पनं चातिबाधकम् ।।१७- १४॥
“તે તે ફળની પ્રત્યે કાલવિશેષને લઈને માત્ર કર્મને (દૈવને) કારણ માનવામાં આવે તો કારણનું ઐક્ય જ માનવાનું
૧૯