Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ રહે છે. એ રીતે કષ્ટ કારણોની હાનિ અને અદષ્ટ કારણની કલ્પના અત્યંત દુષ્ટ છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે કાર્યમાત્રની પ્રત્યે માત્ર દેવને જ કારણ માનવામાં આવે તો ભિન્ન ભિન્ન કાળમાં થનારાં તે તે કાર્યની પ્રત્યે કાલવિશેષને લઈને તે તે કાર્યની ઉત્પત્તિને ઉપપન્ન કરી શકાય છે. અર્થાત્ તે તે કાળની અપેક્ષાએ દેવથી તે તે કાળે તે તે કાર્યની ઉત્પત્તિ થાય છે-આ પ્રમાણે માનીને ફળની પ્રત્યે કેવળ કર્મની કારણતાને કેટલાક લોકો માને છે. પરંતુ એમ માનવાથી તે તે કાલમાં થનાર છે તે કાર્યની પ્રત્યે તે તે ક્ષણને જ કારણ માનવાથી કોઈ દોષ નહીં આવે. તેથી કાર્યની પ્રત્યે એક જ(ક્ષણને જ) કારણ માનવાનો પ્રસંગ આવશે. * યદ્યપિ તે તે કાળમાં થનાર કાર્ય તે તે દેશમાં (સ્થાનમાં) જ (સર્વત્ર નહિ) થતું હોવાથી તે તે કાર્યની પ્રત્યે તે તે દેશને પણ કારણ માનવાનું આવશ્યક હોવાથી કારઐક્યના પરિશેષનો પ્રસર્ગ આવતો નથી. પરંતુ તે તે ક્ષણનો સ્વભાવ જ છે કે તે પોતાના કાર્યને તે તે દેશમાં જ કરે છે. આ પ્રમાણે સ્વભાવથી જ દેશનું નિયમન(તે તે દેશમાં જ કાર્યનું થવું) શક્ય હોવાથી કારણના ઐક્યના પરિશેષનો પ્રસદ્ગ છે જ. કથંચિત્ તે; દેવમાત્રકારણતાવાદીને ઈષ્ટ છે-એમ માનવામાં આવે તો તેમને જે દોષ આવે છે તે આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે ફળની પ્રત્યે માત્ર દૈવ-કર્મને કારણ માનવામાં આવે તો નજરે દેખાતાં

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58