Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ કારણને દેવાદિને) કાર્યની પ્રત્યે હેતુ માની પણ શકાય. એ મુજબ તાર્ણ વહિતૃણવિશેષથી ઉત્પન્ન વિજાતીય વહિ)ની પ્રત્યે તૃણને અને અરણિનિર્મન્થનાદિથી જન્ય વહિની પ્રત્યે અરણિનિર્મન્થનાદિને કારણ મનાય છે તેમ જ અરણ્યમાં ઉત્પન્ન થનારા આરણ્ય વગેરે વહિવિશેષની પ્રત્યે અરણ્યાદિને કારણ મનાય છે. પરંતુ એવા પ્રકારનો કાર્યનો ભેદ ન હોય તો એક કારણને લઈને બીજા કારણને અન્યથાસિદ્ધ કહેવાનું ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી અન્યત્ર અતિપ્રસિદ્ઘ આવશે. આશય એ છે કે યોગની સિદ્ધિમાં કોઈ ભેદ ન હોય તો તે તે યોગની સિદ્ધિ પ્રત્યે સ્વતંત્રપણે દૈવને કે પુરુષકારને કારણ માનવામાં આવે અને તેની સાથે રહેનાર પુરુષકારને કે દૈવને અન્યથાસિદ્ધ માનવામાં આવે તો યોગસિદ્ધિને છોડીને બીજે પણ એ અતિપ્રસિદ્ઘ આવશે. અર્થ ઘટાદિ કાર્યની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં.. ઈત્યાદિ કહી શકાય છે. યદ્યપિ ચકથી ઈતર દંડાદિ સકલ સામગ્રી હોતે છતે ચક્ર હોય તો ઘટ થાય છે અને તે ન હોય તો ઘટ થતો નથી. આ સ્વતંત્ર અન્વય અને વ્યતિરેકના કારણે ઘટની પ્રત્યે દંડ કારણ છે, ચક્ર નહીં.. ઈત્યાદિ કહી શકાય એવું નથી. પરંતુ એ રીતે તો દૈવ વગેરે હોતે છતે પુરુષકારથી યોગની સિદ્ધિ થાય છે. અને તે ન હોય ત્યારે યોગની સિદ્ધિ થતી નથી. ઈત્યાદિ અન્વય વ્યતિરેક તો અહીં પણ સમાન જ છે. તેથી એકને કારણે માની બીજાને અન્યથાસિદ્ધ માનવાનું ઉચિત નથી-એ સમજી શકાય

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58