________________
પ્રામિ)ની પ્રત્યે કારણને દેવાદિને) છોડીને બીજા કારણની અપેક્ષા હોય તો પોતાથીદેવાદિથી) જન્ય કાર્યની પ્રત્યે દેવાદિકારણને પુરુષકારાદિની અપેક્ષા હોય, તે યોગ્ય જ છે. કારણ કે સહકારીકરણના સમવધાન વડે કારણ કાર્યનું ઉત્પાદક બને છે, તે અનુભવસિદ્ધ છે. તેનો બાધ-અપલાપ યુક્ત નહીં બને. ૧૭-૯ો.
વિશિષ્ટ હેતુë. ઈત્યાદિ (શ્લો. નં. ૪) શ્લોથી જણાવેલી વાતમાં દોષ જણાવાય છેविशिष्य कार्यहेतुत्वं, कार्यभेदे भवेदपि ।। अन्यथा त्वन्यथासिद्धिरन्यत्रातिप्रसङ्गकृत् ॥१७-१०॥
“કાર્યભેદ (તે તે કાર્યની ભિન્નતા) હોતે છતે વિશેષસ્વરૂપે(અસાપેક્ષ) કાર્યની પ્રત્યે કારણતા ઘટી પણ શકે, પરંતુ કાર્યભેદ ન હોય તો અન્યથાસિદ્ધિ; અન્યત્ર અતિપ્રસજ્ઞને કરનારી છે.”-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના શ્લોક નં. ૪ માં જણાવ્યા મુજબ દૈવ અને પુરુષકાર-બંન્ને પરસ્પર નિરપેક્ષપણે તે તે કાર્યવિશેષની પ્રત્યે કારણ છે. એમની સાથે બીજાનું અસ્તિત્વ(સન્નિધાન) ટાળી શકાતું નથી. તેથી તો તે અન્યથાસિદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે અન્યથાસિદ્ધ છે. આ વિષયમાં અહીં આ શ્લોથી જણાવ્યું છે કે, તે તે કાર્યમાં જે ભેદ મનાય છે તે પ્રામાણિક હોય તો તે રીતે વિશેષ સ્વરૂપે