________________
ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ઉપદેશપદ'માં પ્રસિદ્ધ એ વસ્તુને ગ્રંથકાર પરમર્ષિએ ઉપદેશરહસ્ય'માં વર્ણવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. ૧૭-૮
સાપેક્ષમસમર્થ... ઈત્યાદિ (સ્લો.નં. ૩) શ્લોથી જણાવેલી વાત બરાબર નથી-તે જણાવાય છે અર્થાત્ તેમાં દૂષણ જણાવાય છે
यदीष्यते परापेक्षा, स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता, न युक्तं दृष्टबाधनम् ॥१७-९॥
જો કારણની પોતાની ઉત્પત્તિ અને તેના પરિણામને વિશે કારણને છોડીને બીજાની અપેક્ષા હોય તો કાર્યની ઉત્પત્તિ વગેરેમાં પણ તેવી અપેક્ષા યુક્ત જ છે. કારણ કે અનુભવસિદ્ધ વસ્તુનો બાધ-અપલાપ કરવો યુક્ત નથી.'આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે કારણને જે કાર્ય કરવામાં બીજા કારણની અપેક્ષા છે, તે કારણ તે કાર્યની પ્રત્યે અસમર્થ છે. તેથી તે તે કાર્યની પ્રત્યે દૈવાદિકારણને સ્વતંત્ર(અસાપેક્ષ) કારણ મનાય છે...ઈત્યાદિ સાક્ષા... (૨૭-૩) આ શ્લોથી જણાવ્યું છે.
આ અંગે જણાવતાં આ શ્લોથી જણાવ્યું છે કે તે તે કાર્યની પ્રત્યે જે પણ કારણ(અસાપેક્ષ) માનવામાં આવે છે, તે દૈવાદિકારણની ઉત્પત્તિ અથવા પરિણતિ(અવસ્થાન્તર