________________
પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે દૈવ અથવા પુરુષકાર જો અનુટ હોય તો તેમાં ગૌણત્વ મનાય છે. અલ્પત્વસ્વરૂપ અહીં ગૌણત્વ વિવક્ષિત નથી. કારણ કે અલ્પ પણ બળવાન હોય તો તેમાં ઉત્કટત્વના કારણે ગૌણત્વનો વ્યવહાર થતો નથી. આવી જ રીતે દૈવ અથવા પુરુષકાર જો ઉત્કટ હોય તો તેમાં મુખ્યત્વે મનાય છે.
એ ગૌણત્વ અને મુખ્યત્વે બંન્નેથી પ્રત્યેક અર્થાત્ કૈવ અથવા પુરુષકારથી જન્મત્વનો વ્યવહાર તે તે કાર્યમાં કરાય છે. અન્યથા કાર્યમાત્ર દૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય હોય તો તે તે કાર્યમાં દૈવજન્યત્વ અથવા પુરુષકારજન્યત્વ સ્વરૂપ પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર પ્રામાણિક નહીં બને. આથી સમજી શકાશે કે પ્રત્યેકજન્યત્વ(પ્રત્યેકથી ઉત્પન્ન થવું)ના વ્યવહારનું નિયામક દૈવાદિની ગૌણતાદિ છે. ૧૭-૬॥ Be
-
ઉપર જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવાય છેउत्कटेन हि दैवेन, कृतं दैवकृतं विदुः । तादृशेन च यत्नेन कृतं यत्नकृतं जनाः ॥१७- ७॥
“ઉત્કટ એવા દૈવથી કરાયેલા કાર્યને દૈવકૃત કાર્ય અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને યત્નકૃત કાર્ય તરીકે લોકો જાણે છે.’’–આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્કટદેવકૃતત્વનું જ્ઞાન હોય અથવા દૈવને છોડીને અનુત્કટ એવા પુરુષાર્થ-યત્નકૃતત્વનું જ્ઞાન હોય ત્યારે