Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 7
________________ (૪) કે આપણે વર્ગ મનમાં વિચારોને ગુંગળાવી નાંખવામાં હજી ડહાપણ સમજેતે જોવાય છે. કેઈને દુઃખ ન દેવું એ મુખ્ય સિદ્ધાંત છતાં પિતાનાજ મનેભાવને દબાવી મારી નાંખવા સુધીની મુર્ખતા કરવી તે શું દયા છે ? પિતાની જાતે કાળજીથી વિચાર આપવા બાજુએ રહયા પરંતુ જ્યારે બીજાઓ તરફથી વિચાર માંગવામાં આવે છતાં પણ તેના તરફ દુર્લક્ષ રાખી કામ લેવાય તે તેનાથી વધારે દીલગીર થવા જેવું અમે તે બીજુ કંઈ જોઈ શકતા નથી. આ પ્રમાણે સમાજના વિચારો મેળવવા વરષ ઉપરાંત યત્ન કરવા છતાં જ્યારે કંઈ પણ પરીણામ જોવામાં ન આવ્યું ત્યારે ભાવનગર જઈન ધર્મ પ્રસારક સભાએ એક પગલું આગળ ભરવા ગોઠવણ કરી. અને તેથી ૧૯૫૦માં કારતકી પુર્ણિમા ઉપર શ્રી શત્રુ. જય યાત્રાળુઓમાં છુટાં હેડબીલ વહેંચી તે રીતે જઈન કેગ્રેસની આવશ્યક્તા સમજાવવા યત્ન કર્યો અને શેઠ આણંદજી કલ્યાણજી વગેરેને વાકેફ કરી બીજે દિવસે ત્યાં જાહેર સભા ભરી અને આ કાર્ય હાથ ધરવું તે નિશ્ચય થતાં આગળ વધવુ કેમ તે વિચારને માટે આગેવાની એક મીટીંગમાં તથા ત્યારબાદ શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનીધીઓ વગેરે ઘણું સ્થળોના આગેવાને રૂબરૂની બીજી મીટીંગમાં તે વિષયની જરૂરીયાત પુષ્કળ ચર્ચવા પછી પહેલી કોંગ્રેસ અમદાવાદમાં ભરવાનું કર્યું અને તે પ્રમાણે ૧લ્પના ફાગણ શુદી. ૧૨-૧૩–૧૪-૧૫ તા. ૧૮થી ૨૧ માર્ચ. ૧૮૯૩ના ચાર દિવસે પહેલીકોંગ્રેસ નામથી એક સભા અમદાવાદમાં નગરશેઠના બંગલામાં ભરવામાં આવી કે જેમાં ૯૦ ગામમાં આમંત્રણ કરવામાં આવેલું હતું જયારે ફક્ત ૨૩ ગામથી ૬ર ગ્રહસ્થાએ હાજરી આપી હતી. તેથી તેઓ તથા અમદાવાદી બંધુઓની મેટી હાજરી વચ્ચે કામ લેવામાં આવ્યું કે જે પ્રસંગે મુખ્યત્વે નીચેના ઠરાવે પસાર થયા હતા ૧ છાપરીઆળી પાંજરા પિળમાં એક (પશુ વધ) વેટરીનરી સરજન રાખવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66