________________
૨
ભક્ષણનીતિ.
આખા દેશને માટે કાયમની જમાબંધી કરવાની ભલામણ કરી હતી, પણ એ ભલામણ કાગળ ઉપર જ રહેલી અને પાછળથી તે કાગળ ઉપરથી પણ રદ કરવામાં આવી. ભાગ્યે જ બીજો એવે ઇલાકા હશે કે જ્યાં જમીનમહેસૂલના દર મુંબઈ ઇલાકા જેટલા આકરા હાય, અને મુંબઈ ઇલાકામાં પણ એવા ભાગ બીજા નથી કે જ્યાં સરકારધારા ગુજરાત જેટલા વધારે હાય. રાવ બહાદુર જોષીએ . જમીનમહેસૂલના પ્રશ્ન ઉપર પચીશેક વર્ષ ઉપર એક લેખમાળા બહાર પાડી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ઇલાકામાં ખીજા કાઈ પણ ઇલાકાના કરતાં માથાદીઠ જમીનમહેસૂલને દર વધારે છે (એટલે કે માથાદીઠ બે રૂપિયા), એકરદીઠ દર ગુજરાતના જિલ્લાએમાં વધારેમાં વધારે છે (એટલે કે એક રે રૂપિયા ચાર), અને ગુજરાતમાં પણ સુરત જિલ્લામાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે પાંચ રૂપિયા નવ આના ). ખારડાલીને જ દાખલેા લઈએ તેા જમીનમહેસૂલ ૧૮૬૪ થી વધતું જ ગયું છેઃ ૧૮૬૬-૬૭ પહેલાં રૂ. ૩,૧૮,૧૬૨ હતું તે ૧૮૬૬-૬૭માં રૂ. ૪,૦૦,૯૩૯ થયું, ૧૮૯૭-૯૮માં રૂ. ૪,૫૮,૩૧૭ અને ૧૯૨૩-૨૪ માં રૂ. ૫,૧૪,૭૬ર થયું. તેમાં શ્રી, જયકરે ૩૦ ટકા વધારા સૂચવ્યેા, મિ. ઍડને ૨૯ ટકા સૂચવ્યા, સરકારે રર ટકા સૂચવ્યા, અને પછી રર્ના ૨૦ ટકા કીધા.
પણુ કાઈ
સરકારના કાયદે। જમીનમહેસૂલ ખેતીના નફા પ્રમાણે આકારવાનું કહે છે. પણ ખેતીને નફે! નક્કી કરવાનું કેાઈ ને સૂઝયું નથી, અથવા તે ખેતીમાંથી નફેશ થાય છે કે કેમ એ તપાસવાની કાઈ ને જરૂર જ જણાઈ નથી. જમીનમાંથી ઉત્પન્ન દહાડેદિવસે વધતું જાય છે એમ તેા કેાઈ અમલદાર કહેતા નથી જ, માલની કિંમત વધી છે એ કારણ આપે છે, તેા કાઈ તાલુકાની આબાદી લેાકેાનાં ધરબાર અને ખીજી ખાદ્ય સ્થિતિમાં મહેસૂલ વધારવાનું કારણ જુએ છે, કેાઈ ગણાત અને વેચાણના આંકડા ઉપર પેાતાનું મંડાણ માંડે છે તે કાઈ સુધરેલા રસ્તા અને વધેલી બજારની સગવડ ઉપર પોતાને આધાર રાખે છે, કાઈ લેાકેાએ દારૂ પીવાના છેડવો એ હકીકતને સબળ કારણ માને છે તેા કાઈ
૧૧