________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯ જીવ પોતે વારંવાર ન ભાવે ત્યાં સુધી જીવ મોક્ષપાત્ર થઈ શકે નહિ. શ્રીમદ્ પણ કહે છે કે “આત્મભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે' શી રીતે આત્મભાવના ભાવવી? તો કે આ રીતે “હું દાદિસ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. “જ્ઞાની જીવ આ રીતે વારંવાર ભાવના ભાવે છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ હું છું, આ વિકારરૂપ હું નથી. હું મારા એક સ્વરૂપને અનુભવું છું આ સંસારથી જાદો થયો છું. હવે હું સ્વયં દેખું-જાણું છું. મેં હવે સમ્યભાવ જુદો કર્યો. હું અમર છું. એ રીતે અનેક પ્રકારે મનમાં, વાણીમાં સમ્યભાવની સ્તુતિ ઉપજે છે. વારંવાર પોતાનું શુદ્ધ સ્વરૂપ ચિંતવે છે પણ આ બધું ય મનવચનના વિકલ્પરૂપ ચિત્તવનનું પ્રવર્તવું છે. મનવચનના વિકલ્પો છે પણ સમ્યભાવનું તાત્પર્ય આટલું જ છે-જ્ઞાનપરિણામ તો સમ્યજ્ઞાન પરિણામરૂપ પ્રવર્તે છે, ચારિત્રપરિણામ તો કેવલ સમ્યગ્દર્શનપરિણામરૂપ પ્રવર્તે છે, દર્શનપરિણામ તો કેવલ એક સમ્ય સ્વભોગરૂપ પ્રવર્તે છે. એ રીતે જ્ઞાનાદિ પરિણામ પોતપોતાના સ્વભાવરૂપ સાક્ષાત પ્રગટ થતાં થકા પ્રવર્તે છે. ત્યાં એક ચેતના જ એ સ્વભાવરૂપે પરિણમે છે. એ સમ્યમ્ભાવ ટંકોત્કીર્ણ નિશ્ચલ રૂપ ધારણ કરીને પરિણમે છે. આનાથી જે કોઈ અન્ય પ્રકારે કહેવામાં આવે છે તે બધાયમાં વિકલ્પ ઉપજે છે. તે સમ્યમ્ભાવના પ્રગટ પરિણમવામાં બીજો કોઈ વિકલ્પ નથી આપોઆપ એક કેવલ સ્વરૂપપરિણામ પ્રવાહ ચાલ્યો જાય છે. ત્યાં કોઈ અન્ય વાત નથી, અન્ય કોઈ વિકલ્પ નથી, એવી સમ્યગ્ધારા સમ્યગ્દષ્ટિના દ્રવ્યમાં પ્રગટી છે. તેને તો એવું જ પ્રવર્તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com