Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 178
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દષ્ટાંત ૧૪૭ એવી રીતે આ પરિણામોમાં ચેતન સ્વભાવરાજાની જ્ઞાતાદષ્ટાદિ લક્ષણમય મૂર્તિના બરાબર યાદરૂપ પરિણામ પ્રવર્તે છે તેથી તે પરિણામોમાં ચેતનસ્વભાવ યાદરૂપે છે. વળી આ પરિણામો, તે પરદ્રવ્યરૂપ શેયોને દેખતાં જાણતાં, તે જ્ઞાતાદષ્ટામય ચેતનસ્વભાવની સૂરતને મેળવી દેતો નથી (પરદ્રવ્યરૂપ જ્ઞયોની સાથે એકમેકરૂપ કરી દેતો નથી), સ્વભાવને જાદો રાખે છે. આ તે સ્વભાવનો બરાબર યાદરૂપ પરિણામના પ્રવર્તવાનો ગુણ છે. એવી રીતે હવે આ પરિણામો અન્ય એવા પરદ્રવ્યભાવોનું અવલંબન કરવાનું છોડીને-અન્ય એવા પરદ્રવ્યભાવોની સેવા કરવાનું છોડીને-વળી કેટલાક કાલ પછી તે ચેતનસ્વભાવની, સ્થિરતા-વિશ્રામ-સેવારૂપે સન્મુખ થાય છે. તે સેવાથી તે સુખશાંતિ, અનાકુલતાદિ રીતિ થાય છે. વળી કેટલાક કાલ પછી તે ચેતનસ્વભાવની સેવા છૂટી જાય છે, ત્યારે વળી તે પરિણામો તે શેયોની સેવા કરે છે. એવી એવી રીતે ક્યારેક સ્વભાવની સેવા કરતાં, ક્યારેક પરભાવોની સેવા કરતાં ઘણો કાલ વીત્યો. ત્યારે કેટલાક કાલ પછી આ જે પરિણામો તે ચેતનસ્વભાવના વિશ્રામ-સેવામાં લાગ્યા હતા તે તો લાગી જ રહ્યા પરંતુ જે અબુદ્ધ કર્મરૂપ ભાવમય અન્ય પરિણામો હતા તે પરિણામો પણ આગામી સમય સમયમાં અબુદ્ધરૂપથી દૂર થઈ થઈ, તે સ્વભાવરૂપમાં વિશ્રામ-સેવામાં લાગતા ચાલ્યા. એવી રીતે થતાં થતાં જ્યારે આ જીવદ્રવ્યના સર્વ પરિણામ સ્વભાવરૂપ વિશ્રામ-સ્થિરતાના ચરિત્રપરિણામરૂપ થયા ત્યારે જ્ઞાનદર્શનાદિ સર્વ પરિણામો કેવલ એક નિજસ્વરૂપરૂપે થયા. અહીં તાત્પર્ય એ છે કે આ સર્વ પરિણામો સર્વથા સ્વભાવરૂપક (સ્વભાવરૂપ) કૂટસ્થ (ફરી વિકારરૂપે ન પલટે તેવા) થઈ રહ્યા, ત્યારે આ સ્વભાવરાજાની પ્રત્યક્ષ દેખવા જાણવાની બન્નેય શક્તિઓ શેયરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194