________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મિશ્રધર્મકથન
૫૭ એ રીતે, કોઈ ભવ્ય જીવને કાલલબ્ધિ પામીને સમ્યકત્વગુણ, જ્ઞાન – દર્શન – સ્વચારિત્ર – પરમાનંદભોગસ્વભાવ – વીર્યગુણની કેટલીએક શક્તિ સ્વભાવરૂપે પ્રગટ થઈને પ્રવર્તી. તે જીવના અસંખ્યાત પ્રદેશોમાં, જ્ઞાન, દર્શન, ચારિત્ર, પરમાનંદાદિ ગુણની શક્તિ બુદ્ધિરૂપ (બુધરૂપ) શુદ્ધ, અબુદ્ધરૂપ (અબુધરૂપ) ચિત્વિકાર થઈ અશુદ્ધ પ્રવર્તે છે. તો એ રીતે સ્વરૂપરૂપ, વિકારરૂપ બને ધારા બારમાં ગુણસ્થાન સુધી રહે છે, તે કારણે આ જીવને એટલા કાલ સુધી મિશ્રધર્મપરિણતિ કહેવામાં આવે છે. કારણ કે સ્વભાવતો પ્રગટ થયો છે પરંતુ ગુણવિકાર પણ પ્રવર્તે છે. તેથી તેટલા કાલ સુધી તે જીવદ્રવ્યને મિશ્રધર્મી કહેવામાં આવે છે, વળી જે કાલે મન-ઇન્દ્રિયની બુધશક્તિ સર્વથા સ્વભાવરૂપ થઈ રહેશે ત્યારે જ્ઞાનગુણની અનંતશક્તિ સ્વભાવરૂપ થશે ત્યાં સર્વથા સ્વભાવરૂપ ગુણ કહેવામાં આવશે.
ઇતિ મિશ્રધર્મ અંતરાત્માપરિણતિકથન સમાતમ્
|ઇતિ મિશ્રધર્મવાદ | Tો ઇતિ એકાદશવાદ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com