Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 141
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ આત્માવલોકન જ ચારિત્રપરિણામની ભાવનાજ અનુસારે ભોગગુણના પરિણામ થયા, તેને ભોગવવારૂપ અથવા જ્ઞયાભાસ આસ્વાદરૂપ અથવા વેદનરૂપ કહો, ભોગગુણનો કોઈ વિપરીતભાવ કહો તો એ રીતે વિપરીત શેયાભાસ ભોગવવારૂપ પરિણામ તેને વેદના કાર્ય બન્યું છે. એ પણ એ રીતે જીવનો અમૂર્તિક ચેતનવેદનસ્વાંગ બન્યો છે. વળી આ પૌગલિક અખાડામાં ઉન્મત્ત-પ્રમાદરૂપ મોહનો સ્વાંગ ધારણ કરીને વર્ગણા નાચે છે. વળી મોહમાં જાતિભેદ ઘણા છે. તેમાંના તે ભેદોમાં એક મોહરૂપ ઉન્મત્ત વર્ગણા તો સમ્યકત્વમોહની સંજ્ઞા ધારણ કરીને નાચે છે, ત્યારે આ જીવના સમ્યકત્વગુણના નિજસ્વભાવ - ભાવરૂપ -નિજસત્ત્વવસ્તુની નિન્જાતિરૂપ પોતાનું આસ્તિક્ય-પોતાની ઠીક્તા-પોતાનું યાદરૂપ આચરણ-છે તે સમ્યત્વનો ભાવ વળી તે સમ્યકત્વ, જે ઉપયોગ વડે શેયને દેખવા જાણવામાં આવે છે, તે જ્ઞયવસ્તુને સ્વવસ્તુ કરીને અથવા એક પ્રકારને સર્વથા કરીને આસ્તિક્ય-આચરણરૂપે વ્યાપ્યવ્યાપક થાય છે, તેને સમકિતઆચરણ-ગુણનો ઉપરાંવઠાભાવ (ઉપરનો ભાવ) વિપરીતભાવ, સમ્યકત્વનો પરભાવ કહેવામાં આવે છે અથવા મિથ્યામોહભાવ કહેવામાં આવે છે અથવા મોહભાવ કહેવામાં આવે છે. એવી રીતે આ મિથ્યાભાવમાં જે સમ્યકત્વ-આચરણગુણ વ્યાપ્યવ્યાપક થયો થકો, જે કાર્ય થાય છે, તે આ સમ્યકત્વમોહકાર્ય જીવનો અમૂર્તિક ચેતનસ્વાંગભેદ બન્યો છે. अत्र सम्यक्त्वगुणस्य व्यवरणं किंचित (અહીં સમ્યકત્વગુણનું કંઈક વર્ણન.) દેખો મિત્ર! જેવી રીતે ઉપયોગના બે ભેદ છે-વસ્તુનું સામાન્ય અવલોકન તે દર્શનગુણ છે, વિશેષ અવલોકન તે જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194