Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 165
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ આત્માવલોકન જાણતાં જ અટકી ગયા ત્યારે તે ઉપયોગપરિણામને મનસંજ્ઞા ન રહી, તે પરિણામ ત્યારે મનસંજ્ઞાથી અતીત થાય છે. એ રીતે એ બન્ને ઉપયોગપરિણામ ઇન્દ્રિયાતીત અને મનાતીત થયા, અને તે ઉપયોગપરિણામ પોતે જ એક સર્વ ચિત્તડુરૂપ પોતાપોતાને જ વ્યાપ્યવ્યાપકરૂપે પ્રત્યક્ષ દેખવા લાગ્યો, જાણવા લાગ્યો, અને તે મનઇન્દ્રિયભાવથી શૂન્ય થઈ ગયો. વળી મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી ઉપયોગ દશાના બલને સાધતો મન-ઇન્દ્રિયસંજ્ઞાધારી જે અશુદ્ધ ચારિત્રના ચપલ પરિણામ હુતા તે ચારિત્રના પરિણામ ત્યારે જ તે કાલે ખરેખર પરાવલંબનથી અને ચપળતાથી અટકી ગયા. ત્યારે તે ચારિત્રપરિણામોને મન-ઇન્દ્રિયસંજ્ઞા ન રહી, ત્યારે ચારિત્રપરિણામને મનઇન્દ્રિયસંજ્ઞાતીત કહેવામાં આવે છે. વળી તે ચારિત્રપરિણામ નિજઉપયોગમય ચિત્રસ્તુમાં દેખીને સ્થિરીભૂત શુદ્ધ વીતરાગમગ્નરૂપ પ્રવર્તે છે; અને તે જ ચારિત્રપરિણામજન્ય નિજસ્વાદ ઊપજે છે. એ રીતે જ્યારે સમ્યગ્દષ્ટિનાં જ્ઞાનદર્શનચારિત્રસહિત પરિણામ નિજ ચિત્રસ્તુને જ વ્યાપ્યવ્યાપકરૂપ દેખતાં-જાણતાં રહે, નિજ વ્યાપ્યવ્યાપક સ્વાદ લે, તે સ્વસ્વાદદશાનું નામ સ્વાનુભવ કહેવામાં આવે છે. તો એ રીતે સ્વાનુભવ થાય ત્યારે છાસ્થ જીવનાં દર્શનજ્ઞાનાદિ પરિણામોને નિર્વિકલ્પ સમ્યકતા ઊપજે છે તે જઘન્યજ્ઞાની સમ્યગ્દષ્ટિની નિર્વિકલ્પ ઉપયોગસમ્યકતા જાણવી. તે કાળે અહીં સંવેદનનો આ અર્થ જાણવો – સ્વ કહેતા હું-સ્વયંજ્ઞાન, સં કહેતા સાક્ષાત્ પ્રત્યક્ષથી, વેદન કહેતા આ વસ્તુમાં વ્યાપ્યવ્યાપકરૂપ જાણવું. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ થતાં તે જીવદ્રવ્યમાં જે જ્ઞાનગુણની શક્તિ સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ આ રીતે પ્રવર્તી કે-આ સ્થાનકમાં આ હું જ્ઞાન, આ આત્મવસ્તુ પ્રમાણ તાદામ્ય વ્યાપ્યવ્યાપકરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194