________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
આત્માવલોકન વળી જો કોઈ આમ પ્રશ્ન કરે કે જે વેળા વસ્તુ વિકારરૂપે પ્રગટે છે (–પરિણમે છે) તે વેળા સ્વભાવભાવ ક્યાં હોય છે? (તે) નાશ થાય છે કે રહે છે? તેનો ઉત્તર-સ્વભાવભાવ ગુરૂપ રહે છે.
ભાવાર્થ - આ સ્વભાવભાવ તો પ્રગટ પરિણામરૂપ છે, તે તો નથી ગયો. પરંતુ જે તે વસ્તુ છે તો તે સ્વભાવભાવ તો પોતે જ છે. તે વિકાર જતાં જ વ્યક્તભાવરૂપ પરિણામ થવો સોહલો છે. જેમકે - તે બિલાડી છે. તો તેનો સ્વભાવભાવ પણ ગયો નથી, કેમકે કાલે તે જડીનું નિમિત્તે જાય છે (ટળે છે), નિમિત્ત જતાં જ તે બિલાડીના આળોટવાનો વિકાર જતો રહે છે ત્યારે તો તે બિલાડીનો નિન્જાતિસ્વભાવ પ્રગટ થાય છે. વળી જો આળોટતાં બિલાડીપણું મટી ગયું હોત તો બિલાડીનો તે સ્વભાવ ક્યાંથી પ્રગટ થાત? ન થાત. તેથી આળોટતા તો બિલાડીપણું જતું નથી, બિલાડીપણું તો રહે છે. જેવી રીતે બિલાડીપણું રહ્યું. તેવી રીતે સ્વભાવભાવ સ્વયં જ રહ્યો. વળી જ રહ્યો. તો વ્યક્તરૂપ થવો સોહલો છે.
ઇતિ તાત્પર્ય
એવી રીતે અનાદિથી આ જીવ ચિત્વિકારરૂપ થઈ ભટક્યો. અનેક અનેક વિકારભાવ કરી નાચ્યો. નાચતાં નાચતાં અનંત
૧.
જડી-બિલાડીનો ટોપ-એક જાતિની વનસ્પતિ છે. જેને જોઈને બિલાડી આળોટવા લાગે છે. સોલો સહેલો, સુખદાયક, સુંદર, સોહામણો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com