________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વળી અજ્ઞાની કહે કે જ્યાં સુધી જ્ઞાન જાણે છે ત્યાં સુધી જ્ઞાન મેલું છે. જ્યારે જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ મટી જાય ત્યારે જ જીવ સિદ્ધરૂપ થાય છે. ત્યાં અજ્ઞાનીએ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ મૂળથી જ જાણ્યો નથી. તે એમ નથી જાણતો કે જ્ઞાન તો તેને કહેવાય કે જે “ જાણે.' જો તે “જાણવું જ દૂર થયું તો “જ્ઞાન” એમ કઈ રીતે કહેવાય? જ્ઞાનગુણનું સ્વરૂપ જ જ્યાં યથાર્થ ન માન્યું ત્યાં ભ્રમથી જ્ઞાનમાંથી વિકાર કાઢવાને બદલે પરને જાણવાના જ્ઞાનસ્વભાવને દૂર કરવા મથશે પરંતુ સ્વપરને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી જાણવાનો સ્વભાવ તો દૂર થશે નહિ પણ પોતે જ અવળી શ્રદ્ધા પોષીને પરને જાણવાના પોતાના જ્ઞાનસ્વભાવને દૂર કરવાનો કષાયનો શ્રમ ઊઠાવશે અને પરમાર્થ વિકલ્પ શાંત ન થતાં તેને અવળી શ્રદ્ધાના ભાવમાં તીવ્ર કષાયની લીનતાની મૂઢતાનું પ્રાબલ્યપણું વર્તશે.
જ્ઞાની પ્રમાણજ્ઞાનથી વસ્તુના દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપને જાણે છે, પણ શ્રદ્ધામાં તો કેવલ એક અખંડ શુદ્ધ મૂળ શુદ્ધ ચેતના વસ્તુમાત્રનો વિષય જ છે. જ્ઞાની કેવલ એક અખંડ મૂળચેતનાવસ્તુમાત્રને શ્રદ્ધી આત્માનો અનુભવ કરે છે.
સમ્યગ્દષ્ટિ જીવને સમ્યફબોધધારા નિરંતર હોય છે. હું શક્તિએ શુદ્ધ છું એવી સમ્યબોધધારા જ્ઞાનીને નિરંતર વર્તે છે. આવી સમ્યગ્બોધધારા જ જ્ઞાનીને રાગમાં એકાકારબુદ્ધિ થવા દેતી નથી. સ્વપરને ભિન્ન જાણી તે ભિન્ન જ્ઞાયકરૂપે રહે છે.
સમ્યગ્દષ્ટિને નિશુદ્ધસ્વરૂપનું ભાન અખંડ રહે છે, જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન અનેક ખંડમાં વહેંચાયેલું, જુદા જુદા પ્રયોજનવાળું અને પરિણામે વિકાર ઉત્પન્ન કરનારું બની રહે છે. સમ્યગ્દષ્ટિ શેયને જાણે ત્યારે તે કાલે જ તેને સ્વવસ્તુનું યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com