________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શેયવાદ
૧૭
એક એક નિજગુણની અનંતશક્તિ તેમને જાણે છે. વળી નિજદ્રવ્યગુણના ત્રણે કાળના પરિણમનને જાદું જાદું જાણે છે. વળી પોતે ‘જાણવું' છે, પોતાના ‘જાણવું’ રૂપને પણ જાણે છે. આ રીતે, તે પરદ્રવ્યને જાદું જુદું જાણે છે; એક એક પરદ્રવ્યના અનંતગુણને જાણે છે, એક એક ગુણની અનંતશક્તિને જાણે છે, વળી તે પરદ્રવ્યગુણના ત્રણે કાળના પરિણમ ને જાદું જાદું જાણે છે, વળી છએ દ્રવ્યના, ગુણપર્યાયના નિજ્જાતિસ્વભાવરૂપ ભાવને જુદા જાણે છે. વળી તે જીવના ૫૨ભાવને જુદા જાણે છે, પુદ્દગલના પરભાવને જુદા જાણે છે, સંસા૨પરિણતિને જાણે છે, મુક્તિપરિણતિને જાણે છે.
ભાવાર્થ :- જેટલા દ્રવ્ય-ગુણ-પર્યાયભાવ છે, તેટલા બધાયને તે સાક્ષાત્ જાણે છે. એવું જે કાંઈ છે, તે બધાયનું જ્ઞાનગુણના જાણવાને ગોચર થવું, તે થવું બધુંય જ્ઞેય નામપામે છે. આગમમાં જ્ઞાનગોચરને શેયના નામથી કથન ચાલે છે એમ જાણવું.
।। ઇતિ શેયવાદઃ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com