Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક દષ્ટિપાત કોઇક ચિન્તકે સાચું જ કહયું છે: यस्याग्रे न गलति संशयः समूलो, नैवासौ क्वचिदपि पण्डितोक्तिमेति ॥ અર્થ જેમની સમક્ષ પહોંચ્યા પછી આપણો સંશય સંદતર નિર્મૂળ ન થઇ જાય તેને ‘પંડિત' કહી શકાય નહિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના સેંકડો શિષ્યોની અસંખ્ય શંકાઓનું સમાધાન કરનારા ઇન્દ્રભૂતિ વગેરે પંડિત જ નહિ, પરંતુ મહાપંડતો હતા. આમ છતાં એમના હૃદયમાં પણ વેદવાક્યો સમ્બન્ધમાં એક એક શંકા વર્ષોથી છૂપાયેલી હતી. ક્યા પંડિતના હૃદયમાં કઇ શંકા હતી એનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. (૧) ઇન્દ્રભૂતિ: જીવ છે કે નહિ? (૨) અગ્નિભૂતિ: કર્મ છે કે નહિ? (૩) વાયુભૂતિ: જીવ અને કર્મ ભિન્ન (જુદા) છે કે અભિન્ન (એક)? (૪) વ્યક્ત: પંચ મહાભૂત છે કે નહિ? (૫) સુધર્મા: મનુષ્ય મૃત્યુ પછી પાછો મનુષ્ય તરીકે જ જન્મે છે કે પશુ તરીકે પણ? (૬) મંડિત: જીવનો બન્ધ અને મોક્ષ હોય છે કે નહિ? (૭) મૌર્યપુત્ર: દેવ હોય છે કે નહિ? (૮) અત: નારક (નરક નિવાસી જીવ) હોય છે કે નહિ? (૯) અચલભાતા: પુણ્ય અને પાપ છે કે નહિ? (૧૦) મેતાર્ય: પરલોક હોય છે કે નહિ? (૧૧) પ્રભાસ: નિર્વાણ (મોક્ષ)નું અસ્તિત્વ છે કે નહિ? આ અગિયાર મહાપંડિતોની ઉપર્યુક્ત અગિયાર શંકાઓનું નિરાકરણ સર્વશ પ્રભુ મહાવીરસ્વામીએ કેવી રીતે કર્યું? એનું વિસ્તૃત વિવરણ ‘સંશય સબ દૂર ભવે' નામના આ નાનકડા પુસ્તકનો પ્રધાન વિષય છે. આ અગિયાર મહાપંડિતો અને પરમાત્મા મહાવીરદેવ વચ્ચે જે સંવાદ થયો હતો એનું જ નામ છે: ‘ગણધરવાદ’. આ ગણધરવાદના ફળસ્વરૂપે પ્રભુને એક જ દિવસમાં કુલ ચુમ્માળીશસો અગિયાર શિષ્યરત્નોની પ્રાપ્તિ થઇ. એની ગણના નીચેની ગાથામાં દર્શાવેલી છે. पञ्चहं पञ्चसया, अट्ट साइं हुन्ति दुन्ति गणा । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100