Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૨ - + प्राझे शास्त्रं स्वयं याति શિard g-શરિરતિઃ | જળમાં તેલનું એક બુંદ નાખતા જ એ જે રીતે સપાટી ઉપર ફેલાઈ જાય છે; દુષ્ટ માણસને નાનકડી ખાનગી વાત કહેતાં એ લોકોમાં જેમ તરત જ ફેલાઈ જાય છે, અને સુપાત્રને આપેલું થોડું પણ દાન જેમ પુણ્યપ્રાપ્તિનું કારણ બને છે, તે જ રીતે બુદ્ધિમાનને શાસ્ત્રનું સાચું જ્ઞાન આપવામાં આવે તો તે પોતાની વસ્તુશક્તિ (મહત્તા) ના કારણે એને બહુ વિસ્તારપૂર્વક સમજી લે છે. શ્રી ઇન્દ્રભૂતિ શું સમજ્યા? તે હવે આપણે છઠા પ્રકરણમાં જોઈશું. તૃણાની વિડળના એક વૃદ્ધ પુરુષ મૃત્ય-શમ્યા પર તરફડતો હતો. ડૉકટરોએ જવાબ આપી દીધો. પરિવારના લોકો ચારે બાજુ ચિંતાતુર-હેયે બેઠા હતા. વૃદ્ધ. એકવાર આંખ ખોલી અને... ચિંતાતુર બનીને પૂછયું “મારી પત્ની કયાં છે?” પત્નીએ ધરપત આપતાં કહયું હું આપના ચરણોમાં જ બેઠી છું. ગભરાઓ નહીં.” વઢે બીજો પ્રશ્ન પૂછયો: “મોટો દીકરો કયાં છે?” હાં. પિતાજી! હું અહીં જ છું” મોટો પુત્ર બોલ્યો. “વચલો દીકરો?” હું પણ આપની પાસે જ છું ચિંતા ન કરો. હવે ભગવાનનું નામ-સ્મરણ કરો.” વચલો પુત્ર બોલ્યો. “અને નાનો પુત્ર?” હું અહી જ છું પિતાજી!” “નાલાયકો!”.. બધા અહીં જ જામી પડ્યા છો તો... દુકાને કોણ ગયું છે?” વૃદ્ધ ક્રોધભર્યા સ્વરે કહયું. માનવની લાલસા અને તૃષ્ણાની આ કેવી વિડંબના છે!” મૃત્યુની શય્યા પર રહેલા હોવા છતાં માનવીનું મન દુકાનમાં જ ચોટેલું છે ૩ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100