Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 36
________________ : ૧, પુણ્યઃ અપરિહાર્ય શક્તિ અંગે તે એક સાથે આપણા જીવનમાં અવિરતપણે ચાલી રહ્યા છે. સૌથી મોટો જંગ આંતરિક વાસનાઓને છે. અનાદિકાલીન વાસનાએના કાતિલ હુમલાઓ સામે આત્મા લગભગ મહાત-પરાજિત થઈ ચૂક્યા હોય તે આભાસ થયા કરે છે. આથી તે ત્રિલોકગુરુ પર માત્માએ કહ્યું છે ને કે, “જેણે આત્મા છત્યે તેણે બધું જીત્યું”. સંતે એ પ્રબોધ્યું છે: “બીજા જંગે શા માટે ખેલે ? ખેલવા જે જંગ તે તારા ઘરનો જ છે. તારા ઘરમાં જ ખૂનખાર લડાઈ ચાલી પડી છે. ઘોર પરાજય તને સાંપડી રહ્યો છે. તારા ગુણેની કલેઆમ થઈ રહી છે. ઘાસની જેમ વઢાઈ રહ્યા છે; તારા ગુણે, તારી શક્તિઓ, તારું આંતરસૌન્દર્ય ... બધું ય. માટે હે આત્મન ! અંદર જ યુદ્ધ કર. બહારના છમક્તાં જેવાં યુદ્ધોથી ફારેગ થા.” સંતપુરુષની આ આર્ષવાણું વાસનાઓના જંગને સૌથી વધુ ભયંકર જણાવે છે. આ જંગ પછી બીજે પણ એક જંગ છે, જે આદ્ય છે, જેની અવગણના કરવાનું આપણને પાલવે તેવું નથી. એ જંગ છે; આપણું અસીમ ઉપકારી ધર્મશાસન-ધર્મસંસ્કૃતિ ઉપરનાં બાહ્ય આક્રમણ-સંબંધિત. જે રીતે નવી પેઢી વિકૃતિઓના ઘોડાપૂરમાં હોંશભેર તણાઈ રહી છે, જે રીતે લેહીને સીંચેલા અને મડદાંના ખાતર ઉગાડાયેલા શીલ, સદાચાર, આતિથ્યના વડલાઓ જમાનાવાદની ભયાનક આંધીમાં મૂળિ ૩૩ અ, Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111