Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 95
________________ િહી રિહેતાહયાળ (0) ચિત્ર : ૨૫ પ્રતિલેખન હું રોજ બે ય વખત મારા તમામ વસ્ત્રાદિનું પ્રતિલેખન કરતો હતો. ઊભડક પગે બેસીને પ્રત્યેક વસ્ત્રને વિહિત બેલ બોલવાપૂર્વક હું કાળજીથી જોતો હતો, રખે ક્યાંક કેક જીવ-જંતૂ રહી ગયું હોય. ચિત્રઃ ર૬ પ્રતિક્રમણ બન્ને ય વખત હું દિન, રાતની પ્રાયશ્ચિત્તરૂપે પ્રતિક્રમણ કરતો હતો. અમે સઘળા સાધુઓ માંડલીમાં બેસીને જે પ્રતિક્રમણ કરીએ, જે શુદ્ધ સૂત્રોચ્ચાર થાય; શુદ્ધ સૂત્ર અને તેના અર્થમાં ચિત્તની જે એકાકારતા થાય તે તો એવી અદૂભુત હોય કે ગમે તેવા જુગે જૂનાં પાપસંસ્કારો પણ મૂળમાંથી ધ્રુજી ઊઠે. ચિત્ર : ર૭ કાર્યોત્સર્ગ કેટલીક વાર ખાસ કરીને રાત્રિના સમયે નિદ્રા ઊડી જતાં હું કાયોત્સર્ગ કરતો. જાતજાતના સંકલ્પ પૂર્વક–કે બાજુના કુંભારનું ગધેડું ભૂં કે ત્યાં સુધી કાર્યોત્સર્ગ, કોઈ બાળકના રૂદનને અવાજ આવે ત્યાં સુધી કાસર્ગ, ઘંટી દળવાને અવાજ સંભળાય ત્યાં સુધી કાયોત્સર્ગ – હું કરતે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111