Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 75
________________ [ Gરહેdષ્યાળા , અને મેં પરમાત્માને નમ્રભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે પ્રભુ! આપ મારા મનમંદિરમાં પધારો; જેથી કોઈ અશુભ તત્ત્વનો પ્રવેશ ન થાય.” તરત જ પદ્માસનની મુદ્રામાં [પાષાણના પ્રતિમાજી સ્વરૂપ બિરાજમાન પ્રભુ એ જ સ્વરૂપમાં મારા મનેમંદિરમાં પધારી ગયા. જે દિશામાં મારું મુખ હતું તે જ દિશા સન્મુખ થઈને પ્રભુ બિરાજમાન થયા હતા. જાણે કે અગીઆર ઈચના શ્વેત વર્ણના પાષાણુના પ્રતિમાજી જ બિરાજી ગયા ન હોય ! પ્રભુના બિરાજમાન થતાંની સાથે જ તે કૃપાના પરમ પાવનકારી સંગથી મારા સકળ આત્મ પ્રદેશમાં કોઈ અદૂભુત ચૈિતન્યનો સંચાર થવા લાગ્યો. એક પછી એક એવી સાત અવસ્થાનો મેં અનુભવ કર્યો. ૧. પ્રભુ અનંત કરુણામય હતા; તેમના સંગથી મારો આત્મા કરૂણામય થઈ ગયો. ૨. પ્રભુ અનંત આનંદમય હતા તેથી મારો આત્મા અનંત આનંદમય બની ગયો. ૩. પ્રભુ અનંત સુખમય હતા; મારો આત્મા પણ અનંત સુખમય બની ગયો. ૮. પ્રભુ જ્ઞાનમય હતા; મારો આત્મા જ્ઞાનમય બની ગયો. ૭૩ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111