Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 81
________________ | હેત ટાલની સ ચિત્રઃ ૧૬ સમવસરણમાં પરમાત્માનું દર્શન સમવસરણની ઠેઠ ઉપરના પગથીએ – પૂર્વ દિશાના પ્રવેશ દ્વાર ઊભા રહીને મેં અદૂભુત દશ્યો જોયા. મારી બરોબર સામે સિંહાસન ઉપર ચતુર્મુખ પરમાત્મા સીમંધરસ્વામીજી બિરાજમાન થયા હતા. ચારે ય દિશામાં બેઠેલા સહુને એમ જ લાગતું હતું કે, “પ્રભુ અમારી જ સામે બેઠા છે.” એ વખતે મેં ફરીથી આઠ પ્રાતિહાર્યોનું દર્શન કર્યું. પ્રભુની પાછળના ભાગમાં અશોકવૃક્ષ હતું. જેની ઘટા સમસ્ત સમવસરણ ઉપર છાઈ ગઈ હતી. આથી સઘળે. શ્રોતાવર્ગ એની નીચે જ બેઠો હતો. દેવોએ અઢળક પુષ્પવૃષ્ટિ એફેર કરી હતી. અત્યંત આહૂલાદક દિવ્યધ્વનિ બજી રહ્યો હતો. દેવાત્માઓ પ્રભુને ચામર વીંઝી રહ્યા હતા. પરમાત્મા રત્નાદિમય સિંહાસન ઉપર બિરાજમાન હતા. ચતુર્મુખ પ્રભુને, ચારેય બાજુ તેજવર્તુળ-ભામંડળ હતું. આકાશમાં દેવો દુંદુભિનો નાદ કરી રહ્યા હતા. તારક દેવાધિદેવના મસ્તક ઉપર ત્રણ છત્રો હતા. સમવસરણના ત્રીજા વિભાગમાં દેવ, માનવો વગેરેની | બાર પ્રકારની પર્ષદા બેઠી હતી. ૭૯ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111