________________
[ Gરહેdષ્યાળા ,
અને મેં પરમાત્માને નમ્રભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે પ્રભુ! આપ મારા મનમંદિરમાં પધારો; જેથી કોઈ અશુભ તત્ત્વનો પ્રવેશ ન થાય.”
તરત જ પદ્માસનની મુદ્રામાં [પાષાણના પ્રતિમાજી સ્વરૂપ બિરાજમાન પ્રભુ એ જ સ્વરૂપમાં મારા મનેમંદિરમાં પધારી ગયા. જે દિશામાં મારું મુખ હતું તે જ દિશા સન્મુખ થઈને પ્રભુ બિરાજમાન થયા હતા. જાણે કે અગીઆર ઈચના શ્વેત વર્ણના પાષાણુના પ્રતિમાજી જ બિરાજી ગયા ન હોય !
પ્રભુના બિરાજમાન થતાંની સાથે જ તે કૃપાના પરમ પાવનકારી સંગથી મારા સકળ આત્મ પ્રદેશમાં કોઈ અદૂભુત ચૈિતન્યનો સંચાર થવા લાગ્યો. એક પછી એક એવી સાત અવસ્થાનો મેં અનુભવ કર્યો.
૧. પ્રભુ અનંત કરુણામય હતા; તેમના સંગથી મારો આત્મા કરૂણામય થઈ ગયો.
૨. પ્રભુ અનંત આનંદમય હતા તેથી મારો આત્મા અનંત આનંદમય બની ગયો.
૩. પ્રભુ અનંત સુખમય હતા; મારો આત્મા પણ અનંત સુખમય બની ગયો.
૮. પ્રભુ જ્ઞાનમય હતા; મારો આત્મા જ્ઞાનમય બની ગયો.
૭૩
Scanned by CamScanner