________________
[ S[અહિત દયની
!
૫. પ્રભુ વિર્યમય હતા; મારો આત્મા વીર્યમય બની ગયો.
૬. પ્રભુ નિર્વિકલ્પ સમાધિમય હતા; મારો આત્મા પણ નિર્વિકલ્પ સમાધિમય બની ગયો.
છે. પ્રભુ પૂર્ણ સમાધિસ્વરૂપ હતા; મારો આત્મા પૂર્ણસમાધિરૂપ બની ગયો.
આ સાતે ય અવસ્થામાંથી પસાર થતાં મેં જે ઝણઝણાટીઓ અનુભવી તેનું વર્ણન હું કેમે ય કરી શકે તેમ નથી. વિભાગ : ૪ ભગવાન સીમઘરસ્વામીજીના દર્શન અને
સમવસરણમાં ગમન આવી ધન્યતામયી સ્થિતિ પામ્યા પછી મને જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન પરમાત્મા સીમંધરસ્વામીજીના દર્શનાદિ કરવાની ઈચ્છા જાગી. મારા જીવનનું આ સેવિત-સ્વપ્ન હતું.
બસ...જ્યાં મેં આ વિચાર કર્યો ત્યાં જ આકાશમાંથી એક દેવવિમાન મારી તરફ આવી રહેલું મેં જોયું મારાથી થોડે જ દૂર તે આવી ઊભું. હું તરત ત્યાં ગયે. વિમાનચાલક દેવાત્માએ કહ્યું, “આ પુણ્યાત્મા ચાલ.... તને મહાવિદેહક્ષેત્રમાં મૂકી દઉં.... તારી મન:કામના પૂર્ણ કરવા માટે જ હું અહીં આવેલ છું.”
આ સાંભળતાં જ મારે હર્ષ નિરવધિ બની ગયો.
Scanned by CamScanner