Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 60
________________ ૬. આલંબનનું મહત્વ # R આત્માના સ્વરૂપનું ધ્યાન એ જ સર્વોત્કૃષ્ટ ધ્યાન છે, પરંતુ એ ધ્યાન આપણે ધારીએ તેટલું સહેલું નથી. એ ધ્યાનને આંબવા માટે પ્રથમ તે વાત્મવરૂપ જે પરમાત્મતત્ત્વ છે તેનું ધ્યાન જરૂરી બને છે. પરમાત્માના ધ્યાનમાં લીન બનીને જ સ્વાત્માનું સ્વરૂપ ધ્યાન સિદ્ધ કરી શકાય. આ જ સરળ માર્ગ છે. આથી જ જૈન દર્શનમાં પરમાત્માના આલંબનને ખૂબ મહત્તવ આપવામાં આવ્યું છે. પરમેષ્ઠિ – આલંબનથી મારું કલ્યાણ થાય છે. એ આલંબન પ્રત્યે જેને આદરભાવ જાગે છે તે આત્માનાં અનેક નિબીડ કમેને નાશ થઈ જાય છે. એથી એ આત્માની ધ્યાનારોહણની ધારામાં ક્યારે ય ભંગ પડતું નથી. પરમાત્માનું આલંબન લઈને, તેમાં એકતા કેળવીને સ્વયં પરમાત્મરવરૂપ બનવાથી સ્વાત્મામાં પ્રચંડ પુણ્યવૃત્તિ અને પાપશુદ્ધિ થાય છે. એ ધ્યાનની પ્રત્યેક ક્ષણ સર્વ હિતકર પુણ્યની જનની અને સ્વઅહિતકર પાપવાસનાઓની હનની બની જાય છે. આ વાત શીતલનાથ પ્રભુના રતવનમાં મહેપાધ્યાયજીએ કરી છે: વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; વાભાઈ મગનના તુમ ગુણ રસકી, કુણ કંચન કુણ દારા. સ્વાત્મા જ્યારે ધ્યાનના અભેદથી પરમાત્મસ્વરૂપ બને ત્યારે તેનામાં વિશિષ્ટ કેટિને અતિશય પેદા થાય છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111