Book Title: Anahadani Arti Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ પગથિયાં સમાપન પ્રસંગે, સકલ શ્રીસંઘ સમક્ષ ભજવાયેલું UTઝાયુધ નાટક આ જ સૂરિજીએ રચ્યું હતું. આચાર્ય શ્રી જયસિંહસૂરિજી મહારાજાએ મંત્રીશ્વરના યુદ્ધવિજયને વર્ણવતું દૃશ્મીરમમનમ્ નાટક રચ્યું હતું. ગૌડ કવિ હરિહર પાસે શ્રી હર્ષકૃત નૈષધાવ્ય ની એક પ્રત હતી. ગુજરાતમાં નૈવધાવ્ય ની એક પણ પ્રત નહોતી. મંત્રીશ્વરે કેવળ એક રાતમાં આ વચ્ચે ની નકલ કરાવી લઈને ગુજરાતમાં આ મહાકાવ્યનો પ્રચાર શરૂ કર્યો હતો. નૈષધની સૌથી જૂની ટીકા ગુજરાતમાં રચાઈ છે અને સૌની જૂની હસ્તપ્રત ગુજરાતમાં જ મળે છે. પોતાની સમક્ષ નવા અને હૃદયંગમ પ્રશસ્તિ શ્લોકો રજૂ કરનાર કવિઓને મંત્રીશ્વર ખોબા ભરીને સોનામહોર ભેટમાં આપતા. ગુજરાતનું રાજયતંત્ર સંભાળવું, સંઘની જવાબદારી અને સંઘના બહોળા વહીવટનું ધ્યાન રાખવું, તલવારનાં જોરે યુદ્ધનાં મેદાનમાં જીત મેળવવી, શાસનપ્રભાવનાનાં અગણિત કાર્યો કરવા, આ બધું કરીને પણ મંત્રીશ્વર સાહિત્યની સાધના અને સાહિત્યનો પૂજાસત્કાર જે રીતે કરતા હતા તે અભૂતપૂર્વ ઘટના કહી શકાય. અનહદની આરતી-માં મંત્રીશ્વર રચિત એક પ્રાર્થના શ્લોકનો રસાસ્વાદ છે. ચૈત્રી પૂનમ | વિ. સં. ૨૦૬૨ - પ્રશમરતિવિજય કુચાવાડા પ્રવેશ ૧. માંગવું અને જાગવું ૨. અધ્યાતમનું બંધારણ પ્રાર્થના-૧ 3. દર્શનથી દેશના સુધી ૪. શાસ્ત્રો : શબ્દોથી ભાવ સુધી ૫. ત્રિવેણી સંગમ ૬. શબ્દ શબ્દ શાતા પ્રાર્થના-૨ છે. આધાર, મેરો પ્રભુ ૮. પ્રભુજી સામું જુઓ ૯. તુમ ચરણોની સેવા પ્રાર્થના-3 ૧૦. વધુ સારા બનાવે છે સજ્જનો ૧૧. સજ્જનોનો સથવારોઃ દુર્જનોનું દૂરીણ પ્રાર્થના-૪ ૧૨. ગુણોની ગોઠડી ૧૩. ગુણસ્થા દ્વારા ગુણોનો આવિષ્કર પ્રાર્થના૧૪. શું નથી બોલવું ? નક્કી છે ? ૧૫. દોષ અને દ્વેષ : ગુણ અને રાણ - પ્રાર્થના-૬ ૧૬. જબ અપના મુંહ ખોલો તુમ.... ૧૭. સાચું કહેવું સારી રીતે કહેવું પ્રાર્થના-૭ ૧૮. જીવનની ઝળતી વારતા ૧૯. જાગી અનુભવ પ્રીતPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54