________________
૧૩
દર્શનથી દેશના સુધી
મંત્રીશ્વર વસ્તુપાળની પહેલી પ્રાર્થનામાં દર્શનથી દેશના સુધી જવાની માંગણી કરે છે.
શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. સારાં પુસ્તકોનું વાચન કરવું જોઈએ. શાસ્ત્રો ભણવા માટે એક ગુરુ નક્કી કરવા જોઈએ. સારાં પુસ્તકોનું વાંચન કરવા માટે ઉત્તમ માર્ગદર્શક માથે રાખવા જોઈએ. ગુરુ વિના શાસ્ત્રો અને માર્ગદર્શન વિના પુસ્તકો અસરકારી નથી બનતાં. માહિતીમાં વધારો થાય પણ દેશનાનું સ્તર ન ઘડાય.
સવાંચન એ સ્વાધ્યાયનો પર્યાય છે. સતત જીવાતી જિંદગીમાં આપણે લાખો વિચારોનો સામનો કરતા રહીએ છીએ. સુનામીનાં મોજાંથી માંડી કચ્છના ભૂકંપ સુધીની તીવ્રતાથી સેંકડો તણાવો મગજ પર આક્રમણ કરતા રહે છે. માનસિક તંગ દશા આપણી સ્વસ્થતાને ઘાયલ કરે છે. ઊકળતાં તેલની જેમ મનમાં સતત ખળભળી રહેલા રાગ અને દ્વેષ એ આપણી સૌથી મોટી પરેશાની છે. ઢાંચો પડી ગયો છે મનમાં. રાગમાંથી ષમાં જઈએ. દ્વેષમાંથી રાગમાં જઈએ. સાધુ છà ગુણઠાણેથી સાતમે જાય. સાતમે ગુણઠાણેથી છકે આવે. એમની એ સાધના. આપણે રાગથી દ્વેષ તરફ અને દ્વેષથી રાગ તરફ જઈએ. આપણો આ સંસાર. To અને From બદલાયા કરે. આ વિચારગત બંધાણથી અળગા થવા સદ્વાંચનનો સહારો લેવાનો છે.
વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રિન્સિપાલે વિદાય સમારંભમાં પ્રોફેસરો અને યુવાન વિદ્યાર્થીઓને પોતાનું આખરી વક્તવ્ય આપેલું. તેમાં તેમણે કહ્યું હતું : મારી વરસોથી ઘડાયેલી માન્યતા આજે હું પ્રથમ વાર જાહેર કરું છું. મેં સેંકડો શિક્ષકો અને હજારો વિદ્યાર્થીઓને મારી દષ્ટિથી જોયા છે. એના આધારે હું ચોક્કસ તારણ પર આવ્યો છું કે રોજ કમસેકમ અડધો કલાક નવું વાંચન કરનાર વ્યક્તિ જો નિયમિત રીતે એ વાંચન ચાલુ રાખે છે તો ત્રણ વરસ પછી તેનું સંપૂર્ણ પરિવર્તન થઈ જાય છે. મારો અનુભવ એમ કહે છે.
આપણી સમક્ષ આ અનુભવવાણી આવી છે. આપણે પ્રેરણા લેવાની. રોજ મારે નવું વાંચન સતત કરવાનું છે. વાંચન એ મગજનો ખોરાક છે. વાંચન એ આત્મબળનું આલંબન છે. મન પોતાની રીતે વિચારતું જ રહે છે.
૧૪
અનહદની આરતી મનને સારું આલંબન નહીં આપીએ તો એ પોતાની મેળે આલંબન શોધી લેશે. તકલીફ એ છે કે મન જે આલંબન શોધી લેશે તે ખરાબ જ હોવાનું. આપણે શબ્દોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે મન એ શબ્દનો અર્થ શોધવા પૂરઝડપે કામે લાગી જાય છે. શબ્દ સાંભળવા. અર્થ સમજવો. શબ્દ વાંચવી. અર્થ પકડવો. મનની આ ગતિ છે. મોટા ભાગે આપણા કાને પડતા શબ્દો અને આપણી આંખેથી વંચાતા શબ્દો નમાલા હોય છે. સાર વિનાના અને ચીલાચાલુ. આપણને શબ્દો દ્વારા શીખવા મળતું ન હોય તો એ શબ્દોનું, એ વાતોનું શ્રવણ કે વાંચન નકામું નીવડે છે. વાંચવું છે તે સંકલ્પ આપણે કરવો જોઈએ. વાંચન સારું જ કરવું છે તેમ આપણે જ નક્કી રાખવું છે. સારા શબ્દો અને સારી વાતો શોધી કાઢવાં છે. મનને સતત એ વાતોના હવાલે રાખવું છે. વિચારોની ખરીદી કરવી છે. વિચારોની ખેતી કરવી છે. વિચારની આગળ સદ્ અવશ્ય મૂકવો છે.
વાંચીએ અને યાદ ન રહે તેનો વાંધો નથી. વાંચતી વખતે આનંદ આવે છે તે પૂરતું છે. આખું વ્યાખ્યાન સાંભળ્યા પછી માંડ પાંચ વાક્યો યાદ રહે છે પરંતુ વ્યાખ્યાનની અસર તો વર્તાય જ છે ને. વાંચવાનું મન થાય એટલે તરત જ એ માટેની શિસ્ત ગોઠવાતી જાય. ક્યારે વાંચવું ? શું વાંચવું? શી રીતે વાંચવું ? શું કામ વાંચવું ? આ સવાલોના જવાબ શોધી લેવા પડે. વાંચવામાં રસ પડે છે તો વાંચન માટેનો એક સમય નક્કી કરી રાખવો જોઈએ.
આપણો દુકાનનો સમય નક્કી હોય છે. જમવાનો, સ્કૂલે જવાનો, ઊંઘવાનો કે ટી.વી. જોવાનો ટાઈમ નક્કી હોય છે. કેમ કે રસ છે, જવાબદારી માની છે. જો વાંચન જવાબદારી લાગે તો વાંચનનો સમય અવશ્ય નક્કી થાય. દિવસ ઊગે છે. ચોવીસ કલાક હાથમાં હોય છે. ઘડિયાળ દર કલાકે ડંકો વગાડે છે. સમયના આ નાના ટુકડાઓમાં કઈ જગ્યાએ સવાંચનનું સરનામું લખવું તે નક્કી કરી લેવું જોઈએ. રોજનું અડધો કલાક વાંચવાનું થાય તો મહિને પંદર કલાક વંચાય. વરસે એકસો એંસી કલાક થાય. મતલબ એ થયો કે રોજ અડધો કલાક વાંચનારો લગભગ સાડા આઠ દિવસ વાંચનને ફાળવે છે, વરસે દહાડે.