Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૩ છઠી ચા ભાડીક ક્ષણ ત્રિદંડીની ધૃષ્ટતા, દુષ્ટતા જાણીને રસને કુવામાં ફેંકી દીધે. માંચીનું દેરડું ત્રિદંડીએ છોડી દીધું, ચારૂદત્ત માંચી સહિત અંદર પડો, ત્રિદંડી ભાગી ગયો. ભાનુપુત્ર ચાદર કુવાની વેદિકા ઉપર પડવાથી મૂછિત બન્ય, ડીક ક્ષણે બાદ શુદ્ધિમાં આવ્યું. અને જોરથી શ્વાસોશ્વાસ લેવા લાગે. નીચેથી તે વ્યકિતએ કહ્યું કે હે સાધુ! તું રસમાં નથી પડે, પણ વેદિકા ઉપર પડે છે. માટે દુઃખી થઈશ નહીં. ચારૂદત્તે કહ્યું કે ભાઈ! જ્યારે બહાર નીકળવાને કઈ ઉપાય નથી તો પછી વેદિકા ઉપર પડવાને અર્થ શ? મરવાનું તો નિશ્ચિત છે. રસમાં પડેલા પુરૂષે કહ્યું કે હું તમને બહાર નીકળવાનો ઉપાય બતાવું છું. તે તમે સાંભળે. જ્યારે રસ પીવાને માટે મોટી ગાય આવે છે ત્યારે તમે તેનું પૂછડું પકડીને બહાર નીકળી જજે, તમે આખું બંધ કરીને તેને આવવાની રાહ જુએ, તેના વચનથી પ્રસન્ન થયેલે ચારૂદત્ત પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતા સુખ પૂર્વક રહેવા લાગ્યા, અને રસમાં રહેલે માનવી મૃત્યુને શરણ થયે, બીજે દિવસે ભયંકર અવાજ સાંભળી ચારૂદત્ત ડરી ગયે, પણ પછીથી રસમાં મૃત્યુ પામેલા પુરૂષના વચનને યાદ કરી મટી ગાયનું આગમન જાણી લીધું. રસ પીને જ્યારે ગાય બહાર જવા લાગી તે વારે ચારૂદત્તે સાવધાની પૂર્વક તેનું પૂછડું પકડી લીધું. ઘણી જગ્યાએ શરીર ઉપર વાગવા છતાં પણ પૂછડું છોડયું નહી.

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292