Book Title: Amam Charitra Part 01
Author(s): Bhanuchandravijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 282
________________ ૨૭૨ ઘરને સળગાવી નાખી આકાશમાંથી તમને નીચે ફેંકી. દીધા, તે વખતે આપને બચાવવા માટે મારા ભાઈ માનસવેગનું રૂપ ધારણ કરી હું નીચે આવી, તેણે મારે પીછે પકડો, હું મારા રક્ષણ માટે ચૈત્યમાં ગઈ, અને મુનિને વળગી પડી, જેનાથી મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ ત્યારથી પૃથ્વી તથા ધાવમાતાનું આશ્રય સ્વીકાર્યું છે. ધાવમાતાદ્વારા આપના દર્શન થયા, વસુદેવ તથા વેગવતી આનંદપુર્વક તાપસાશ્રમમાં રહેવા લાગ્યા. કઈ એક કન્યાને બંધનાવસ્થામાં નદીમાં ફેંકી દીધેલી જોઈને દયાળુ વસુદેવે વેગવતીની પ્રેરણાથી તે કન્યાને બહાર કાઢી સ્વસ્થ બનાવી. તેણુએ વસુદેવને કહ્યું કે વૈતાદ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નામે એક નગર છે. નમિના વંશજ વિદ્યુદંષ્ટ્ર નામે રાજા છે. તેમણે પ્રત્યવિદેહમાં પ્રતિમાસ્થ મુનિને જેયા, ઉત્પાભૂતની બુમરાણ મચાવી બેચને લાવ્યા, ધરણેન્દ્ર આવીને વિરોધીઓની વિદ્યા નષ્ટ કરી નાખી, તે લેકેની વિનતિ સાંભળી ધરણેન્કે કહ્યું કે કેવળજ્ઞાનના મહત્સવ માટે હું આવ્યો હતો તેથી તમને માર્યા નથી. જ્યારે બેચરેએ કલ્પાંત કરતાં કરતાં કાલાવાલા કર્યા, ત્યારે કહ્યું કે તમારી વિદ્યાઓ કેઈ સાધુપુરુષ અથવા ઉત્તમ પુરૂષના વેગથી સિદ્ધ થશે, કહીને ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. વિઘુટુંબના વંશમાં ઉત્પન્ન થયેલી અને વિદ્યાઓને

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292