Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
| ૧૧૯ |
પરંતુ રોહક જાગ્યો નહીં તેથી રાજાએ પોતાની છડી જરાક રોહકના શરીરને અડાડી, તેથી રોહક તરત જ જાગી ગયો. રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું– રોહક તું શું વિચાર કરતો હતો? રોહકે કહ્યું- વિચારતો હતો કે આપને પિતા કેટલા છે?
રોહકની વાત સાંભળીને રાજા ચક્કરમાં પડી ગયા પરંતુ તેની બુદ્ધિ પ્રબળ હોવાના કારણે ક્રોધને શાંત કરીને કહ્યું- બેટા ! તું જ બતાવ કે હું કેટલા પિતાનો પુત્ર છું?
રોહકે કહ્યું– મહારાજ ! આપ પાંચ પિતાથી ઉત્પન્ન થયા છો. એક તો વૈશ્રમણથી કેમ કે આપ કુબેર સમાન ઉદાર છો. બીજા ચાંડાલથી, કેમ કે દુશ્મનો માટે આપ ચાંડાલ સમાન કૂર છો. ત્રીજા ધોબીથી, ધોબી જેમ ભીના કપડાને ખૂબ નીચોવીને બધું પાણી તેમાંથી કાઢી નાંખે છે એ જ રીતે આપ પણ દેશદ્રોહી અને રાજદ્રોહીનું સર્વસ્વ લૂંટી લો છો. ચોથા વિંછીથી, જેમ વિંછી ડંખ મારીને બીજાને પીડા પહોંચાડે છે એ જ રીતે મારા જેવા નિદ્રાધીન બાળકને છડીના અગ્રભાગથી જગાડીને વિંછીની જેમ કષ્ટ પહોંચાડ્યું છે. પાંચમા આપના પિતાશ્રી કેમ કે આપ આપના પિતા સમાન ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરો છો.
રોહકની ઉપર્યુક્ત વાત સાંભળીને રાજા અવાક બની ગયા. પ્રાતઃકાળે શૌચ-સ્નાનાદિથી નિવૃત્ત થઈને રાજા પોતાની માતાને પ્રણામ કરવા માટે ગયા. પ્રણામ કરીને રોહકે બતાવેલી પાંચ પિતાની વાત તેણે માતાને કહી સંભળાવી અને પછી કહ્યું– માતાજી! આ વાત કેટલી સત્ય છે?
રાજમાતાએ કહ્યું પુત્ર ! વિકારી ઈચ્છાથી જોવું એ જ જો તારા સંસ્કારનું કારણ હોય તો એવું અવશ્ય બન્યું છે. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે હું એક દિવસ કુબેરની પૂજા કરવા માટે ગઈ હતી. કુબેરની સુંદર મૂર્તિને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી, પાછા ફરતી વખતે એક ધોબી અને એક ચાંડાલ યુવકને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી. ત્યાર બાદ ઘર તરફ આવતી વખતે એક વિંછી યુગલને રતિ ક્રીડા કરતાં જોઈને મારા મનમાં પણ કંઈક વિકારી ભાવના ઉત્પન્ન થઈ હતી. વસ્તુતઃ તો તારા જનક જગતું પ્રસિદ્ધ એક જ પિતા છે.
માતા પાસેથી સર્વ વાત જાણીને, રોહકની ઔત્પાતિકી અલૌકિક બુદ્ધિનો ચમત્કાર જોઈને, રાજા આશ્ચર્યચકિત બની ગયા. માતાને પ્રણામ કરીને રાજા પોતાના મહેલમાં ગયા અને રાજદરબારનો સમય થવા પર રાજા રાજ સિંહાસન પર વિરાજિત થયા. પછી પ્રજાજનોની સમક્ષ રોહકને મુખ્યમંત્રીના પદ પર નિયુક્ત કરી દીધો. આ ચૌદ ઉદાહરણ રોહકની ઔત્પાતિકી બુદ્ધિના છે.
હવે પછી શાસ્ત્રકાર જુદી જુદી વ્યક્તિના ૨૭ ઉદાહરણ ઔત્પાતિકી બુદ્ધિના આપે છે. (૧) ભરતશિલા :- પહેલી ગાથાથી કહેલ ભરત નટપુત્ર રોહકની બુદ્ધિની પરીક્ષાના ચૌદ દષ્ટાંતો આ 'મરદક્ષિ' શબ્દમાં પુનઃ સંકલન કરી તેને એક જ ગણેલ છે. પછી બીજા છવ્વીસ દાંત નવા કહ્યા છે.
(૨) પ્રતિશા-શરત :- કોઈ એક ભોળો ગામડાનો ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા માટે ગયો. નગરના દરવાજા પાસે પહોંચતાં જ તેને એક ધૂર્ત મળી ગયો. તેણે ખેડૂતને