Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 335
________________ દ્વાદશાંગ પરિચય ૨૭૫ | તે સંપૂર્ણ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે છે, જેમ કે- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી શ્રુતજ્ઞાની- ઉપયોગ યુક્ત થઈને સર્વ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી શ્રુતજ્ઞાનીઉપયોગ યુક્ત થઈને સર્વ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી શ્રુતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી શ્રતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ ભાવોને જાણે છે અને દેખે છે. વિવેચન : આ સૂત્રમાં સૂત્રકારે ગણિપિટકને નિત્ય સિદ્ધ કરેલ છે. જેવી રીતે પંચાસ્તિકાયનું અસ્તિત્વ ત્રણે ય કાળમાં રહે છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટકનું અસ્તિત્વ પણ સદા સ્થાયી રહે છે, એટલા માટે સૂત્રકર્તાએ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય એ પદોનો પ્રયોગ કરેલ છે. પંચાસ્તિકાય અને દ્વાદશાંગ ગણિપિટકની તુલના આ સાત પદો વડે કરેલ છે, જેમ કે– પંચાસ્તિકાય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. એ જ રીતે ગણિપિટક પણ નિત્ય છે, વિશેષરૂપે એને નીચે પ્રમાણે જાણો. (૧) ધ્રુવઃ- જેમ મેરુ પર્વત સદાકાળ ધ્રુવ અને અચલ છે, એ જ રીતે ગણિપિટક પણ ધ્રુવ છે. (૨) નિયત – સદા સર્વદા જીવાદિ નવતત્ત્વના પ્રતિપાદક હોવાથી ગણિપિટક નિયત છે. (૩) શાશ્વતઃ– તેનું વર્ણન સદાકાળથી ચાલી રહ્યું છે માટે ગણિપિટક શાશ્વત છે. (૪) અક્ષય – જેવી રીતે ગંગા આદિ મહાનદીઓ નિરંતર પ્રવાહિત હોવા છતાં તેનો મૂળ સોત અક્ષય છે એ જ રીતે જિજ્ઞાસુ શિષ્યો ઉપર દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ગંગાનો પ્રવાહ વાચના રૂપે નિરંતર પ્રવાહિત હોવા છતાં ક્યારે ય તેનો ક્ષય થતો નથી, માટે અક્ષય છે. (૫) અવ્યય :- માનુષોત્તર પર્વતની બહાર જેટલા પણ સમુદ્ર છે એ બધા અવ્યય છે અર્થાતુ એમાં જૂનાધિકતા થતી નથી. એ જ રીતે ગણિપિટક પણ અવ્યય છે. () અવસ્થિત :- જેમ જંબૂદ્વીપ આદિ મહાદ્વીપ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે એમ જ બાર અંગસૂત્ર પણ અવસ્થિત છે. (૭) નિત્ય – જેવી રીતે આકાશાદિ દ્રવ્ય નિત્ય છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટક પણ નિત્ય છે. શ્રુતજ્ઞાન અભ્યાસ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અથવા ક્યારેક કેવળ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. લોકમાં આ શ્રુતજ્ઞાન જ્ઞાનભાવની દષ્ટિએ શાશ્વત છે જ. ક્યારેક સાધકને પોતાના ક્ષયોપશમથી અવધિજ્ઞાનની જેમ પ્રાપ્ત થાય છે અને ક્યારેક અધ્યયન શીખવાથી અથવા સ્વાધ્યાયથી પણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લોકમાં આ દ્વાદશાંગી જ્ઞાન સ્વ સ્વરૂપમાં હોય છે માટે શાશ્વત કહેલ છે. આ દરેક પદો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અને પંચાસ્તિકાય વિષે કહેલ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ગણિપિટકનું વર્ણન સાદિ–સાંત વગેરે વિકલ્પો શ્રુતમાં જ બતાવી દીધા છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380