Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 22
________________ બારમું સ્થાન કહે છે—તલદાર્થ ન॰, તલાય, તદ્દા॰ ઇત્યાદિ ગણુ ગાથાઓ છે, એનું વ્યાખ્યાન પણ પૃથિવીકાયની પેઠે સમજવું. એમાં પૃથિવીકાયની જગ્યાએ ત્રસારું કહેવું, દ્રિન્દ્રિયથી માંડીને પંચદ્રિય સુધીના જીવે ત્રસ કહેવાય છે (૪૪-૪૫-૪૬) તેરમુ સ્થાન કહે છે—જેમ જળ સિ ંચ્યા વિના વિધિપૂર્વક રીપેલાં વૃક્ષ મૈં પણ મનેહર ફૂલ-ફળ આદિ આવી શકતાં નથી, તેમ છ વ્રત અને છકાયની રક્ષારૂપી મૂળ ગુણ્ણાનું વિધિ અનુસાર પાલન કરવા છતાં પણ છ અકલ્પ્યાના ત્યાગ કર્યા વિના સ્વ-અપવર્ગોના સુખસ્વરૂપ સ્વાદિષ્ટ ક્લેના લાભ સંભવિત નથી. તેથી મૂળ ગુણુ અતાવ્યા ખાઇ અકલ્પ્યાદિ છ ના ત્યાગરૂપ ઉત્તર ગુણુ ખતાવે છે—નારૂં ચત્તારિ॰ ઇત્યાદિ જે આહાર શય્યા વસ્ત્ર અને પાત્ર એ ચાર આગમાતુસાર અકલ્પ્ય છે, એને અવશ્ય પરિત્યાગ કરનાર મુનિ સયમનું પાલન કરે છે. આશય એ છે કે અકલ્પ્યને ત્રણ કરવાથી સાધુઓનું ચારિત્ર દૂષિત થાય છે, (૪૭) એનું સ્પષ્ટીકરણ કરે છે—ર્ષિક ઇત્યાદિ. (૧) પિંડ, (૨) શય્યા (ઉપાશ્રય), (૩) એકેન્દ્રિયથી ખનેલું સૂતરનું વજ્ર, વિકલેન્દ્રિયથી બનેલુ ચીનાંશુક (ચીનાઇ રેશમઆદિનું વસ્ત્ર), પંચેન્દ્રિયથી બનેલી રત્નક બલ આદિ, એ ત્રણ પ્રકારનાં વસ્ત્રો, અને (૪) લાકડાનું તુંબડાનું યા માટીનું પાત્ર, એ અકલ્પનીય છે ! તે ગ્રહણ કરવાની ઇચ્છા પણ સાધુ ન કરે. જે કલ્પે તે આગમની વિધિને અનુસારે ગ્રહણ કરે (૪૮) અગ્રાહ્ય આહારને ગ્રહણુ કરવાના દેષો બતાવે છે—ને નિયાનું ઇત્યાદિ જે સાધુ નિયાગ (નિત્ય યા આમંત્રિત) પિંડ કીત પિંડ, ઔદ્દેશિક પિંડ અને અદ્ભુત પિંડને ગ્રહણ કરે છે તે એકેદ્રિયાદિ પ્રાણીઓના ઉપઘાતની અનુમેદના કરે છે, અર્થાત્ એવા પિ’ડ (આહાર)ને ગ્રહણ કરનાર સાધુ, ગૃહસ્થ દ્વારા થએલા આરંભ– સમાર ભથી થએલા પાપના ભાગી મને છે; એવું શ્રી તીર્થં કરાદિ મહષિએએ કહ્યું છે(૪૯) તન્હા ગાળું ઈત્યાદિ. એટલે સંયમમાં મનને સાવધાન રાખનારા, ચારિત્રરૂપ જીવનને ધારણ કરવાવાળા નિર્થ, કીલ, ઔદ્દેશિક તથા આત (સામે લાવવામાં આવતા) અશનપાન દિને ગ્રહણ કરતા નથી. ઉપલક્ષણથી આધાક આદિ દોષથી યુકત આહારને ત્યાગ સમજવા. દિયવાળો શબ્દથી રસના ઈંદ્રિયને વશ કરવી તથા ધમ્મનીવિળો શબ્દથી ચારિત્રભ ંગથી ભયભીત રહેવું સૂચિત કર્યુ છે. (૫) નહિમાચાં એ પદરૂપ ચૌદમ સ્થાનનું વ્યાખ્યાન કરે છે. તેવુ ઇત્યાદિ. ગૃહસ્થનાં વાડકી આદિ એટલે કાંસાનાં, ઉપલક્ષણથી સેના ચાંદી પીત્તળ આદિનાં અને માટીનાં વાસણમાં ભેજન કરનાર સાધુ ચારિત્રથી શ્રુત થાય છે. અહીં મુંદ્ગતો એ ઉપલક્ષણ છે, તેથી ગૃહસ્થ સ ંબધી વાસણમાં વસ્ત્ર ધોવાં, પાણી ઠંડું કરવું એ પણુ સાધુને કલ્પતુ નથી (૫૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૧૧

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77